Charchapatra

નોખુ નોખુ ને એકાકાર…..

ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ બનતું જાય છે. પાણી સામાન્યતા સફેદ જ હોય હવે તમને ભૂરા, કાળાં, લાલ, લીલારંગનું પણ ઉપલબ્ધ, પ્રજા પર રોગચાળો ફેલાવનાર જોવા મળે. વેસ્ટપાણીનો પ્રવાહ માનવવસ્તીમાં આપોઆપ તો ન આવી જાય. છોડવામાં આવે. 1984માં ઘડવામાં આવેલ પર્યાવરણ નિયમ હવાઇ ગયો ? કે નબળો પડી ગયો.

આમાનું કેટલુંક પાણી ઝેરી તત્ત્વ ધરાવે, તો મૃત્યુને જ આમંત્રણ ખેડૂત અનાજ, મસાલા, ફળ, ફુલ પકવે તેને માઠી અસર થાય. સૌથી વધુ ભોગ જગતનો કહેવાતો તાત જ બને છે. ક્યારેક ગંદુ વેસ્ટ પાણી ભૂગર્ભમાં પણ વહેવડાવી દેવાય. અતિશયપ્રવાહ પાકને સુધ્ધા નુકસાન કરે. દુષિત પાણી કરવા અધિકાર કોણે આપ્યો ? હવે તો ચોખ્ખુ શું મળે ? શોધવું પડે. ઓલપાડના કુડસદ વિસ્તારમાં રંગીન, ઝેરીલુ વહેતુ પાણી તેમાં પગ બોળો દાઝી જવાય એવા અહેવાલ વાચ્યા. હવા-પાણી તો શુધ્ધ જ હોવા અનિવાર્ય સરકારશ્રી ઘટતાં પગલાં લે એકાકાર શબ્દ ભૂંસે.
અડાજણ, સુરત- કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top