Vadodara

છુછાપુરા પાટિયા નજીક કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 4 મોત

સંખેડા : સંખેડા તાલુકાના છુછાપુરા પાટિયાથી થોડે દુર હુંડાઈ કંપનીની ક્રિએટા ગાડી એસ ટી બસ વચ્ચે ગમખવાર અકસ્માત થતા કારમાં ડ્રાયવર સહીત કુલ 4 વ્યક્તિઓ નું ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા હતા.ગત રાત્રે એમ.પી પાર્સિંગની કાર નં MP-10 CA-6938 નંબરના ચાલક ઇશ્વરલાલ કરસનલાલ બિરવા (રહે,નર્મદા સિડ્સ જી ખર્ગોન) તેમની કાર  ગફલતભરી રીતે હંકારતા સામેથી આવતી એસટી બસ નં.GJ 18Z 2034 સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક પોતે તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ ગ્યારસીલાલ  કનુજી પટેલ (રહે જીરભાર), દિનેશભાઇ સિવરામભાઈ પટેલ (રહે સનાવદ જી ખર્ગોન), રાજેશભાઇ દેવરામભાઈ અંજનિયા (રહે સનાવદ જી ખર્ગોન) મળી કુલ ચાર વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.

સંખેડા પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહામુસીબતે ત્રણ મૃતદેહ ગાડીમાંથી બહાર કાઢ્યા હતા જ્યારે એક મૃતદેહ ગાડીમાં ફસાઈ જતા જેસીબીની મદદથી દોરડાનો ઉપયોગથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ આ ચારને સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ માટે લવાયા હતા. આ ૪ વ્યક્તિઓ એમપી સનાવતથી રાત્રે 11 વાગ્યે મોરબી જવા નીકળ્યા હતા એમને બોડેલીથી વડોદરા જતા રસ્તામાં કાળ ભરખી જતાં અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. જ્યારે એસ ટી બસને પણ ઘણું નુકશાન થયેલ છે. આગળની કાર્યવાહી સંખેડા પો.સ.ઇ. એમ.એસ.સુતરિયા કરી રહ્યા છે.

Most Popular

To Top