છેલ્લા બે અઠવાડિયા કરતા વધારે સમયથી બે તુંડમિજાજી આખલાઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન નેત્યનાહુ ફૂંગરાયા છે. તોફાને ચઢેલા આ આખલાઓ આખા વિશ્વને નેસ્તનાબૂદ કરી નાખે તેવા ત્રીજા વિશ્વયુદ્ધને આરે લઈ જઈને ઊભું રાખે તે શક્યતાઓ દિવસે દિવસે વધતી જાય છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ હાલમાં અનેક કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. તેઓ ઇઝરાયેલના ઇતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન છે જેમના પર લાંચ-રુશ્વત, છેતરપિંડી અને પદના દુરુપયોગ જેવા ગંભીર ફોજદારી આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે.
જો આ આરોપો સાબિત થાય, તો તેમને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, ‘ધ હેગ’ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ૨૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેમની સામે વોરંટ જારી કર્યું છે. ગાઝા યુદ્ધ દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધો અને ભૂખમરાને હથિયાર તરીકે વાપરવાના ગંભીર આક્ષેપો તેમની પર છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ પણ એટલું જ વિવાદાસ્પદ રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ જે રીતે ઇરાનના તેલ અને ગેસના ભંડારો પર હુમલા કરી રહ્યા છે, તેનાથી વિશ્વમાં અણુયુદ્ધનો ભય વધી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હ૨કતો પણ બહુ વખાણી શકાય તેવી તો નથી જ. આ પરિસ્થિતિમાં ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈને જે રીતે ઇરાન પર હુમલા કરી રહ્યા છે અને ઇઝરાયલ બધાં નીતિ-નિયમોને નેવે મૂકીને ઇરાનના તેલ અનુ ગૅસના ભંડારો ઉપર છેલ્લા કેટલાંક દિવસોથી હુમલા કરી રહ્યું છે, તેને કા૨ણે દુનિયામાં તણાવ વધતો જાય છે. હાલ પરિસ્થિતિ ખરેખર નાજૂક છે અને ગમે ત્યારે ગમે તે બની શકે છે. આજે જ્યારે બેજવાબદાર નેતૃત્વને કારણે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભી છે, ત્યારે ૧૯૬૨ની ‘ક્યુબન મિસાઇલ કટોકટી’ અને તે સમયના અમેરિકન તથા રશિયન પ્રમુખોની ગંભીરતાભરી વર્તણૂક પરથી બોધ લેવો અનિવાર્ય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ જેવા નેતાઓના વલણને કારણે વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઈ છે.
ક્યુબન મિસાઇલ કટોકટી (૧૯૬૨): જ્યારે ડહાપણે દુનિયાને બચાવી : ઓક્ટોબર ૧૯૬૨માં વિશ્વ પરમાણુ વિનાશની સૌથી નજીક હતું, જેને ‘ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ’તરીકે ઓળખવામાં આવે છે. આ ૧૩ દિવસનો સંઘર્ષ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેના શીત યુદ્ધનું ચરમબિંદુ હતું. ક્યુબામાં ફિદેલ કાસ્ટ્રોના સત્તાકાળ દરમિયાન સોવિયેત યુનિયને ત્યાં ગુપ્ત રીતે પરમાણુ મિસાઇલો ગોઠવવાનું શરૂ કર્યું. આ અમેરિકાની સુરક્ષા માટે સીધો પડકાર હતો. ૧૪ ઓક્ટોબરે અમેરિકી જાસૂસી વિમાને આ સાઇટ્સના ફોટા ઝડપ્યા. પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ ‘ક્વોરેન્ટાઇન’(નૌકા અવરોધ) જાહેર કર્યો અને ચેતવણી આપી કે ક્યુબાથી થતો કોઈ પણ હુમલો સોવિયેત યુનિયનનો હુમલો ગણાશે. ૨૭ ઓક્ટોબર ૧૯૬૨નો દિવસ સૌથી ભયાનક હતો. એક અમેરિકી વિમાન તોડી પાડવામાં આવ્યું અને સમુદ્રમાં સોવિયેત સબમરીન ન્યુક્લિયર ટોર્પેડો છોડવાની તૈયારીમાં હતી. પરંતુ રશિયન અધિકારી વાસિલી આર્ખિપોવે મિસાઇલ છોડવાનો વિરોધ કરીને યુદ્ધ અટકાવ્યું.
કેનેડી-ક્રુશ્ચેવ સમજૂતી: પ્રમુખ કેનેડી અને નિકિતા ક્રુશ્ચેવે આખરે સમજદારી બતાવી. ગુપ્ત વાટાઘાટો દ્વારા નક્કી થયું કે સોવિયેત યુનિયન ક્યુબામાંથી મિસાઇલો હટાવશે, અમેરિકા ક્યુબા પર આક્રમણ નહીં કરવાનું વચન આપશે અને અમેરિકા ગુપ્ત રીતે તુર્કીમાંથી પોતાની મિસાઇલો હટાવી લેશે. આ સમજૂતીને કારણે વિશ્વ વિનાશમાંથી ઉગરી ગયું. ત્યારબાદ મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે સીધી વાતચીત માટે હોટલાઇન શરૂ કરવામાં આવી. ક્યુબન કટોકટી આપણને શીખવે છે કે ગમે તેવો મોટો સંઘર્ષ હોય, સંવાદ અને સમજૂતી જ એકમાત્ર રસ્તો છે. ‘બ્રિંકમેનશિપ’(વિનાશના કિનારે જઈને અટકવું) જોખમી છે. આજના નેતાઓએ કેનેડી અને ક્રુશ્ચેવના ડહાપણમાંથી શીખવાની જરૂર છે કે સત્તાના અહંકાર કરતાં માનવતાનું રક્ષણ વધુ મહત્વનું છે. શક્તિનું સંતુલન અને સંયમિત વર્તન જ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
છેલ્લા બે અઠવાડિયા કરતા વધારે સમયથી બે તુંડમિજાજી આખલાઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન નેત્યનાહુ ફૂંગરાયા છે. તોફાને ચઢેલા આ આખલાઓ આખા વિશ્વને નેસ્તનાબૂદ કરી નાખે તેવા ત્રીજા વિશ્વયુદ્ધને આરે લઈ જઈને ઊભું રાખે તે શક્યતાઓ દિવસે દિવસે વધતી જાય છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ હાલમાં અનેક કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. તેઓ ઇઝરાયેલના ઇતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન છે જેમના પર લાંચ-રુશ્વત, છેતરપિંડી અને પદના દુરુપયોગ જેવા ગંભીર ફોજદારી આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે.
જો આ આરોપો સાબિત થાય, તો તેમને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, ‘ધ હેગ’ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ૨૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેમની સામે વોરંટ જારી કર્યું છે. ગાઝા યુદ્ધ દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધો અને ભૂખમરાને હથિયાર તરીકે વાપરવાના ગંભીર આક્ષેપો તેમની પર છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ પણ એટલું જ વિવાદાસ્પદ રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ જે રીતે ઇરાનના તેલ અને ગેસના ભંડારો પર હુમલા કરી રહ્યા છે, તેનાથી વિશ્વમાં અણુયુદ્ધનો ભય વધી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હ૨કતો પણ બહુ વખાણી શકાય તેવી તો નથી જ. આ પરિસ્થિતિમાં ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈને જે રીતે ઇરાન પર હુમલા કરી રહ્યા છે અને ઇઝરાયલ બધાં નીતિ-નિયમોને નેવે મૂકીને ઇરાનના તેલ અનુ ગૅસના ભંડારો ઉપર છેલ્લા કેટલાંક દિવસોથી હુમલા કરી રહ્યું છે, તેને કા૨ણે દુનિયામાં તણાવ વધતો જાય છે. હાલ પરિસ્થિતિ ખરેખર નાજૂક છે અને ગમે ત્યારે ગમે તે બની શકે છે. આજે જ્યારે બેજવાબદાર નેતૃત્વને કારણે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભી છે, ત્યારે ૧૯૬૨ની ‘ક્યુબન મિસાઇલ કટોકટી’ અને તે સમયના અમેરિકન તથા રશિયન પ્રમુખોની ગંભીરતાભરી વર્તણૂક પરથી બોધ લેવો અનિવાર્ય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ જેવા નેતાઓના વલણને કારણે વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઈ છે.
ક્યુબન મિસાઇલ કટોકટી (૧૯૬૨): જ્યારે ડહાપણે દુનિયાને બચાવી : ઓક્ટોબર ૧૯૬૨માં વિશ્વ પરમાણુ વિનાશની સૌથી નજીક હતું, જેને ‘ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ’તરીકે ઓળખવામાં આવે છે. આ ૧૩ દિવસનો સંઘર્ષ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેના શીત યુદ્ધનું ચરમબિંદુ હતું. ક્યુબામાં ફિદેલ કાસ્ટ્રોના સત્તાકાળ દરમિયાન સોવિયેત યુનિયને ત્યાં ગુપ્ત રીતે પરમાણુ મિસાઇલો ગોઠવવાનું શરૂ કર્યું. આ અમેરિકાની સુરક્ષા માટે સીધો પડકાર હતો. ૧૪ ઓક્ટોબરે અમેરિકી જાસૂસી વિમાને આ સાઇટ્સના ફોટા ઝડપ્યા. પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ ‘ક્વોરેન્ટાઇન’(નૌકા અવરોધ) જાહેર કર્યો અને ચેતવણી આપી કે ક્યુબાથી થતો કોઈ પણ હુમલો સોવિયેત યુનિયનનો હુમલો ગણાશે. ૨૭ ઓક્ટોબર ૧૯૬૨નો દિવસ સૌથી ભયાનક હતો. એક અમેરિકી વિમાન તોડી પાડવામાં આવ્યું અને સમુદ્રમાં સોવિયેત સબમરીન ન્યુક્લિયર ટોર્પેડો છોડવાની તૈયારીમાં હતી. પરંતુ રશિયન અધિકારી વાસિલી આર્ખિપોવે મિસાઇલ છોડવાનો વિરોધ કરીને યુદ્ધ અટકાવ્યું.
કેનેડી-ક્રુશ્ચેવ સમજૂતી: પ્રમુખ કેનેડી અને નિકિતા ક્રુશ્ચેવે આખરે સમજદારી બતાવી. ગુપ્ત વાટાઘાટો દ્વારા નક્કી થયું કે સોવિયેત યુનિયન ક્યુબામાંથી મિસાઇલો હટાવશે, અમેરિકા ક્યુબા પર આક્રમણ નહીં કરવાનું વચન આપશે અને અમેરિકા ગુપ્ત રીતે તુર્કીમાંથી પોતાની મિસાઇલો હટાવી લેશે. આ સમજૂતીને કારણે વિશ્વ વિનાશમાંથી ઉગરી ગયું. ત્યારબાદ મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે સીધી વાતચીત માટે હોટલાઇન શરૂ કરવામાં આવી. ક્યુબન કટોકટી આપણને શીખવે છે કે ગમે તેવો મોટો સંઘર્ષ હોય, સંવાદ અને સમજૂતી જ એકમાત્ર રસ્તો છે. ‘બ્રિંકમેનશિપ’(વિનાશના કિનારે જઈને અટકવું) જોખમી છે. આજના નેતાઓએ કેનેડી અને ક્રુશ્ચેવના ડહાપણમાંથી શીખવાની જરૂર છે કે સત્તાના અહંકાર કરતાં માનવતાનું રક્ષણ વધુ મહત્વનું છે. શક્તિનું સંતુલન અને સંયમિત વર્તન જ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.