Charchapatra

કામ પતાવવું

આપણે વારંવાર સાંભળીને છીએ. કામ પતાવી દીધું. આજના ફાસ્ટ રહેણીકરણીવાળા સમયમાં આપણા દરેક કામો પતાવવા પૂરતા જ થતા હોય એવુ લાગે છે કોઇ કામમા આત્મા હોતો જ નથી. સવારે ઉઠ્યા કે બ્રશ પતાવ્યું, સ્નાન પતાવ્યું અરે દેવદર્શન પણ પતાવી જ દેવામાં આવે છે. જમવાનું તો કે આટલા વાગ્યા છે. એટલે જમવાનું પતાવી દઇએ. આવું જ પ્રસંગોમાં હાજરી આપવા માટે પણ સાંભળીએ છીએ. લગ્ન હોય કે મરણ. બસ જઇ આવ્યા એટલે કે પતાવી આવ્યા. આ પતાવવું અને મન દઇએ કે રસપૂર્વક કરવું એમાં બહુ મોટો આરામાન જમીનનો ફરક છે.

કોઇ કામમાં રૂચી ના હોય. પરાણે પરવુ પડતુ હોય અથવા સંબંધને ખાતર કે લોકબાજે કરવુ પડતુ હોય તો એ પતાવેલું જ કામ થઇ જાત. તેની પાછળ ન કશો ભાવ હોય કે ના સંતોષ. આની અસર બહુધા આપણા મન ઉપર પડે જ છે મન નબળુ પડે છે. મનથી નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવાય છે. જે મન જન્મોજન્મ આપણી સાથે જ આવવાનું છે (પુર્ન: જન્મના સિધ્ધાંત મુજબ) તેના ઉર્દ્વગામી ઉત્કર્ષમાં બાધાઓ-મુશ્કેલીઓ આવે છે.જાગ્યા ત્યાંથી સવાર એ ઉકિતને સ્વીકારીને આપણે આ પતાવવુંવાળા ખ્યાલને તિલાંજલિ આપી રસપૂર્વક કામને આટોપવા મનને કેળવીશું. તો આપણને તથા સમાજને બહુ મોટો લાભ થશે એમાં શંકા નહી.
સુરત     -પ્રફુલ એમ. કંસારા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બોર્ડની પરીક્ષા અને તહેવારો
હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને આ દરમિયાન હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે જેને લીધે ભક્તો રસિયા કરાવે અને તે રસિયા ફક્ત તે ભક્ત પૂરતા નથી હોતા પરંતુ તેઓ મોટા લાઉડ સ્પીકર પર ભજન કીર્તન કરે છે જેને લીધે બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે, થોડા સમય પહેલા અગિયારસ હતી અને દર્શન કરવા જવા માટે લોકો મોટી મોટી રેલી કાઢી ને અને લાઉડ સ્પીકર પર ભજનો વગાડી ને નાચતા ગાતા દર્શન કરવા જતા હતા અને તે ફક્ત એક જ રેલી હતી એવું નહીં પરંતુ થોડા થોડા અંતરે આવી મોટી મોટી રેલીઓ જોવા મળી. આ રેલીઓ ને લીધે બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાય અને તેઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ ન કરી શકે તો તેની જવાબદારી કોની? ભગવાન તો એવું કહેતો જ નથી કે મારા દર્શન કરવા માટે આવો ત્યારે બીજાને તકલીફમાં મૂકીને આવો, તો શા માટે વિદ્યાર્થીને તકલીફમાં મૂકવામાં આવે છે?
સુરત     -નિશી કલ્પેશ ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top