National

ત્રીજી તરંગ બાળકો માટે જોખમી, પણ તેના પહેલા જ ભારતના એક રાજ્યમાં બાળકો ચેપગ્રસ્ત

કર્ણાટક (Karnataka)માં ત્રીજી તરંગ (third wave) આવે તે પહેલાં જ બાળકોમાં કોરોનાના કિસ્સા (corona in child) ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) પછી, કર્ણાટક એક એવું રાજ્ય છે જ્યાં બીજી તરંગ દરમિયાન કોરોના કેસ સૌથી ઝડપી રહ્યા છે. બીજી તરંગ દરમિયાન, કર્ણાટકમાં બાળકોમાં ચેપ ઝડપથી વધી રહ્યો છે, જો કે નિષ્ણાતો (experts)ની આગાહી છે કે ત્રીજી તરંગ બાળકો માટે જોખમી બની શકે છે.

કોરોનાની પ્રથમ તરંગ દરમિયાન 9 માર્ચથી 25 સપ્ટેમ્બર, 2020 વચ્ચે ત્યાં 10 વર્ષથી નાના બાળકોના 19,378 કેસ અને 11 થી 20 વર્ષની વયના બાળકોના 41,985 કેસ નોંધાયા હતા. પણ કોરોનાની બીજી તરંગમાં, તમામ રેકોર્ડ તૂટતા (record break) જોવા મળે છે. 15 થી 20 મે 2021ની વચ્ચે, અત્યાર સુધીમાં માત્ર 19 દિવસમાં 19 હજાર બાળકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. ડોકટરોના જણાવ્યા અનુસાર (according to doctors) બાળકોમાં કોરોનાના વિચિત્ર લક્ષણો જોવા મળે છે, જેમાં 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં ગેસ્ટ્રોએન્ટેરાઇટિસનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, બાળકોમાં ફોલ્લીઓ અને ત્વચાના અન્ય રોગો થાય છે. કર્ણાટકમાં બાળકોમાં વધી રહેલા ચેપ અંગે સરકાર સજાગ થઈ ગઈ છે. સાથે જ લોકો ચિંતિત થઈ ગયા છે. કારણ કે બીજી તરંગમાં જ બાળકો પર કોરોનાનો કહેર શરૂ થયો છે.

દિલ્હીમાં બે બાળકો મૃત્યુ પામ્યા
અગાઉ બે બાળકો દિલ્હીમાં ચેપને કારણે મૃત્યુ પામ્યા હતા. એક 5 વર્ષિય પરી અને 9 વર્ષિય ક્રિશુનું કોરોનાથી અવસાન થયું. આ બંને બાળકોની સારવાર દિલ્હીની જીટીબી (ગુરુ તેગ બહાદુર) હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. 5 વર્ષિય પરી ચેપગ્રસ્ત થયા પછી છ દિવસ વેન્ટિલેટર પર હતો. સારવાર દરમિયાન ગયા બુધવારે તેનું મોત નીપજ્યું હતું. અને 9 વર્ષિય ક્રિશુનું પણ કોરોના કારણે મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોનું કહેવું છે કે બુધવારે ક્રિશુની તબિયત અચાનક વણસી ગઈ હતી અને ત્યારબાદ તેને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. જીટીબી હોસ્પિટલના જણાવ્યા અનુસાર, બંને બાળકોનું ઓક્સિજનનું સ્તર 30 થી નીચે પહોંચી ગયું હતું અને ફેફસામાં ઇન્ફેક્શન ખૂબ વધારે હતું.

રાહુલે કહ્યું- હવે ઊંઘમાંથી જાગવાની જરૂર છે 
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લખ્યું છે કે, આગામી સમયમાં બાળકોને કોરોનાથી સંરક્ષણની જરૂર રહેશે, બાળકોને ચેપ લાગવાના સમાચારની વચ્ચે બાળકો માટે ઉપચારની સુવિધાઓ, રસી માટેના પ્રોટોકોલ્સનો નિર્ણય અગાઉથી લેવો જોઈએ. કેન્દ્ર પર હુમલો કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે ભારતના ભવિષ્ય માટે હાલના મોદી પ્રણાલીને ઊંઘમાંથી જાગવાની જરૂર છે. 

કેજરીવાલે કેન્દ્રને આ બંને અપીલ કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સિંગાપોરમાં આવેલા કોરોનાનું નવું રૂપ બાળકો માટે ખૂબ જોખમી બતાવાય રહ્યું છે, ભારતમાં તે ત્રીજી તરંગ તરીકે આવી શકે છે, કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપોર સાથેની હવાઈ સેવાઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, બાળકો માટે પણ રસી વિકલ્પો માટે અગ્રતા પર કાર્ય કરવું જોઈએ.

બાળકોમાં કોરોનાનાં આ લક્ષણો હોઈ શકે છે
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોવિડ -19 થી અસરગ્રસ્ત મોટાભાગના બાળકોને હળવો તાવ, ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, ગળામાં દુખાવો, ઝાડા, સામાન્ય રીતે ખાવાનાથી લગતા લક્ષણો જોવા મળે છે. સ્વાદ, ગંધ કરવાની ક્ષમતામાં ઘટાડો, સ્નાયુઓ દુખવા અને સતત વહેતું નાક સાથે જ કેટલાક બાળકોમાં પેટ અને આંતરડાની સમસ્યાઓ જોવા મળી છે, તેમજ કેટલાક અસામાન્ય લક્ષણો પણ હોય શકે છે.

Most Popular

To Top