National

23 વર્ષની ઉંમરમાં એક જવાન શહીદ થયો, 56 વર્ષ બાદ તેનો મૃતદેહ મળ્યો, હવે અંતિમ સંસ્કાર કરાશે

ઘણી વખત આપણે જીવનમાં એવી ઘટનાઓ જોતા અને સાંભળીએ છીએ જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે પરંતુ યુપીના સહારનપુરમાં એક એવી જ ઘટના બની છે. સહરાનપુર જિલ્લાના નાનૌતા વિસ્તારના રહેવાસી એરફોર્સના જવાનનો મૃતદેહ 56 વર્ષ બાદ સિયાચીન ગ્લેશિયર નજીકથી મળી આવ્યો છે. આ જાણીને દરેક સ્તબ્ધ છે. તેમનો પાર્થિવ દેહ ગુરુવારે તેમના ગામ પહોંચશે. સૈનિકના પરિવારના સભ્યો રીત-રિવાજ સાથે તેમના અંતિમ સંસ્કાર કરી શકશે. નવાઈની વાત એ છે કે બરફમાં દટાઈ જવાને કારણે તેનું શરીર સંપૂર્ણપણે બગડ્યું ન હતું.

શું છે સમગ્ર મામલો?
અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ વિસ્તાર) સાગર જૈને બુધવારે માહિતી આપતા કહ્યું કે નાનૌતા પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર ગામના રહેવાસી મલખાન સિંહ એરફોર્સના સૈનિક હતા અને 7 ફેબ્રુઆરી, 1968ના રોજ હિમાચલ પ્રદેશ સિયાચીન ગ્લેશિયર પાસે આર્મી પ્લેનના વિમાન અકસ્માતમાં શહીદ થયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ જવાનો શહીદ થયા હતા.

જૈને કહ્યું કે તે બરફીલો પહાડી વિસ્તાર હોવાથી મૃતદેહો બહાર કાઢી શકાયા ન હતા. આ કામ કેટલું મુશ્કેલ હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2019 સુધી માત્ર પાંચ જ મૃતદેહો મળી આવ્યા હતા. હાલમાં જ અહીંથી વધુ ચાર મૃતદેહ મળી આવ્યા હતા જેમાંથી એક જવાન મલખાન સિંહનો હતો.

જ્યારે મલખાન સિંહ શહીદ થયા ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી. આ સમય દરમિયાન તેમની પત્ની શીલાદેવી અને દોઢ વર્ષનો પુત્ર રામ પ્રસાદ હતો પરંતુ હવે જ્યારે તેમનો મૃતદેહ ગામ પહોંચશે ત્યારે તેમની પત્ની અને પુત્ર ત્યાં હાજર રહેશે નહીં કારણ કે તેમનું મૃત્યુ થયું છે.

આવી સ્થિતિમાં મલખાનના અંતિમ સંસ્કાર તેમના પૌત્રો દ્વારા કરવામાં આવશે. અહીં નવાઈની વાત એ છે કે મલખાન સિંહના મૃત્યુ પછી તેમની પત્ની શીલાએ તેના નાના ભાઈ ચંદ્રપાલ સાથે લગ્ન કરી લીધા હતા. આ સ્થિતિમાં તેમને 2 પુત્ર અને એક પુત્રી છે. ગામના લોકો મલખાન સિંહને અંતિમ વિદાય આપવા માટે રાહ જોઈ રહ્યા છે. માલખાનના ભાઈ ચંદ્રપાલનું પણ મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે.

Most Popular

To Top