Vadodara

એફોર્ડેબલ હાઉસને ભાડે ચઢાવવાનો મુદ્દો સ્થાયી સમિતિના એજન્ડામાં લેવાયો

વડોદરા: આગામી 21 એપ્રિલના રોજ સ્થાયી સમિતિની બેઠક યોજાશે જેમાં એફોર્ડેબલ હાઉસને કોન્ટ્રાક્ટરને ભાડે આપવા માટેનો નિર્ણય લેવામાં આવશે. દોઢ વર્ષ અગાઉ આ મુદ્દો સ્થાયી સમિતિમાં મુકાયો હતો પરંતુ સ્થાયી સમિતિના સભ્યોએ જે તે સમયે સ્થળ મુલાકાત પણ કરી ન હતી અને બેઠકમાં એજન્ડા લેવામાં આવ્યો હતો. આ અંગેનો અહેવાલ ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયો હતો અને ત્યાર બાદ આ મુદ્દો મુલતવી રાખવામાં આવ્યો હતો. જો કે હવે દોઢ વર્ષે પુનઃ બાવો ધુણ્યો છે.

સ્થાયી સમિતિની બેઠકમાં કેન્દ્ર સરકારની એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં માર્ગદર્શિકા ગાઇડલાઇન મુજબ વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં કામગીરી હાથ ધરવા પ્રાથમિક ધોરણે સયાજીપુરા એફ.પી187 ખાતેના 560 આવાસો તેમજ મુળ રેન્ટલ કમ ટ્રાન્ઝીટ હાઉસીંગ યોજનાના હરણી એફ.પી.-88 ખાતેના પર આવાસો અને છાણી એફ.પી.-209 ખાતેના 136 આવાસો એમ કૂલ મળી 748 આવાસોના ARHCs ની ગાઇડલાઇન મુજબ ARHCs માં સમાવેશ કરી ભાડેથી આપવા માટેના કામે એજન્સી M/S IRINA HOSPITALITY PVT. LTD દ્વારા ભરવામાં આવેલ રૂ.20,72.05.642-ના ભાવપત્રને જરૂરી મંજુરી આપવાની તેમજ સદર કામગીરી અંગેના તમામ આનુસાંગિક નિર્ણય લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તા સુપ્રત કરવાની મંજુરી આપવાની કમિશનર તરફથી આવેલી ભલામણ જોવાઇ તેને મંજુરી આપવા અંગે નિર્ણય લેવાશે.

જો કે આ .નિર્ણય 18.12.2021 ના રોજ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં મુલતવી રાખવામાં આવ્યો હતો, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી આવાસ સ્કીમોમાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના અંતર્ગત 748 આવાસોને કામગીરી માટેની દરખાસ્ત રજૂ થઈ છે. જેમાં 100 કરોડથી વધુ બનાવેલા આવાસ યોજના ના મકાન નો મળતિયા કોન્ટ્રાકટર ને આપી દેવાનો કારસો રચાયો છે જેમાં પાલિકાને નુકસાન છે .112 કરોડની થી વધુ બનેલ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી આવાસ સ્કીમોમાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના અંતર્ગત 748 આવાસો પ્રોજેક્ટ માત્ર ઇજારદારને ફાયદો કરાવી ને પાલિકાને માત્ર ૨૫ વર્ષે 20 કરોડ આપવાની વાત થઇ હતી.

20 કરોડ સામે કોન્ટ્રાક્ટરને 67 કરોડ મળે
શહેરના સયાજી પુરા હરણી તથા છાણી ખાતે 748 લગોલગ મકાન બનાવવામાં આવેલા છે જેમાં બે રૂમ રસોડાનો એવરેજ ભાડું 3000 કરીએ તો (હકીકત માં એ વિસ્તારમાં 5 હજાર ભાડા વગર મકાન મળતા નથી) અને ૨૦ કરોડ તે હશે દર મહિને 25 વર્ષ સુધી પાલિકાને આપવામાં આવશે. સદર નીતિ મુજબ covid-19 યોજના હેઠળ શહેરમાં ગરીબો, શ્રમિકો, મજૂરો, રીક્ષા ચાલકો, લાંબા ગાળા ના પ્રવાસીઓ, વિધાર્થીઓ માટે સ્કીમ ઉભી થઇ છે. કોન્ટ્રાક્ટ માં લખવામાં આવેલ ભાવ વધારા નેગોશિયેબલ કરીને રૂપિયા 20,72,05,642 કરોડ નું પ્રીમિયમ નક્કી થતું હોય તો ભાડા ની રકમ ખર્ચ થાય તો કોન્ટ્રાકટર ને 25 વર્ષે રૂપિયા 67,32,00,000નો ફાયદો થાય છૅ.

Most Popular

To Top