ઓસ્કાર વિનર સંગીતકાર અને ગાયક એઆર રહેમાન વિશે આજે સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સવારે એઆર રહેમાનની તબિયત અચાનક બગડી ગઈ હતી જેના કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રહેમાન ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ હતા પરંતુ હવે તે ઠીક છે અને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો છે.
અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે એઆર રહેમાને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. તેથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે રહેમાનનો એન્જીયોગ્રામ થઈ શકે છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળીને તેમના બધા ચાહકો ચિંતિત થઈ ગયા હતા અને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
આ પ્રક્રિયા દરમિયાન રક્ત વાહિનીઓની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા કોઈપણ પ્રકારની બ્લોકેજ અને અન્ય સમસ્યાઓ સરળતાથી શોધી શકાય છે.
એઆર રહેમાનની તબિયત હવે કેવી છે?
એઆર રહેમાનના મેનેજરે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે રહેમાનને છાતીમાં દુઃખાવો હતો પરંતુ પછી મેનેજરે કહ્યું કે તેને ગરદનમાં દુઃખાવો છે. ત્યાર બાદ રહેમાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મેનેજરે કહ્યું એઆર રહેમાનને ગરદનના દુઃખાવાને કારણે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમને થોડા કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
રહેમાનની તબિયત હવે સારી છે
રહેમાનને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ઘરે પરત ફર્યો છે. રહેમાન બિલકુલ ઠીક છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. એપોલો હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર રહેમાનને ડિહાઇડ્રેશનના લક્ષણો હતા. રૂટિન ચેકઅપ બાદ તેમને રજા આપવામાં આવી છે.
