Sports

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું , તેની ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થઇ હતી પસંદગી

ટીમ ઇન્ડિયા (INDIAN CRICKET TEAM)ના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા (FAST BOWLER PRASIDDH KRISHNA) કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) હોવાનું જાણવા મળ્યું છે. પ્રસિદ્ધ કૃષ્ણા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) નો ભાગ હતો. તે કેકેઆરનો ચોથો ખેલાડી છે જેને કોરોનાથી ચેપ લાગ્યો છે. અગાઉ વરુણ ચક્રવર્તી, સંદીપ અને ટિમ સિફેર્ટને પણ ચેપ લાગ્યો હતો.

જણાવી દઈએ કે પ્રસિદ્ધ કૃષ્ણાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અંતિમ મેચ અને ઇંગ્લેન્ડ (ENGLAND) સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે એક દિવસ અગાઉ ભારતીય ટીમમાં પસંદગી (SELECT FOR INDIAN TEAM) થઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણાને સ્ટેન્ડબાય તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. તેમના સિવાય અભિમન્યુ ઇસ્વરન, અવવેશ ખાન અને અરઝાન નગસવાલાને પણ સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સ્થાન અપાયું છે.  

પ્રસિદ્ધ કૃષ્ણાની કારકિર્દી

પ્રસિદ્ધ કૃષ્ણાએ આઈપીએલની આ સીઝનમાં 7 મેચ રમી હતી અને 8 વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કૃષ્ણાએ 3 મેચમાં 6 વિકેટ લીધી હતી. વિજય હઝારે ટ્રોફીમાં તેણે 24.5 ની સરેરાશથી સાત મેચમાં 14 વિકેટ લીધી હતી.  કૃષ્ણાએ 2015 માં પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ ફોર્મેટમાં તેનું પ્રદર્શન બહુ સારું નહોતું. જોકે, તેણે લિસ્ટ એ અને ટી 20 ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કર્યું હતું. કૃષ્ણાએ 23 લિસ્ટ એ ગેમ્સમાં 23.07 ની સરેરાશથી 81 વિકેટ ઝડપી છે. તેણે 40 ટી-20માં 35.84 ની સરેરાશથી 33 વિકેટ ઝડપી છે. 

ઇંગ્લેન્ડ પ્રવાસનું સમયપત્રક

ટીમ ઇન્ડિયા 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થશે. તે 18-22 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચ સાઉથેમ્પટનમાં રમાશે. આ પછી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટે લીડ્સમાં યોજાશે. ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી લંડનમાં ઓવલ ગ્રાઉન્ડ પર થશે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં થશે.

કોરોનાને કારણે આઈપીએલ મુલતવી રાખવામાં આવી

અગાઉ કોરોનાના કહેરને કારણે આઈપીએલ મોકૂફ રાખવામાં આવી હતી. કેકેઆરના વરૂણ ચક્રાવતી અને સંદીપ વોરિયર પછી સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાને કોરોનાથી ચેપ લાગ્યો હતો. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સમાં કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાની ઝડપી ગતિ બાદ, બીસીસીઆઈએ આઈપીએલ મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો. 

Most Popular

To Top