તેંડુલકર-એન્ડરસન શ્રેણી 2025 ની બીજી ટેસ્ટ બુધવાર (2 જુલાઈ) થી એજબેસ્ટન બર્મિંગહામ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા આ મેચમાં 3 મોટા ફેરફારો સાથે આવી છે.
જસપ્રીત બુમરાહ, સાઈ સુદર્શન અને શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી અને આકાશદીપને તક મળી છે.
એજબેસ્ટન માટે ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.
એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
બુમરાહ લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટમાં રમશે
ગિલ ભારતીય કેપ્ટન શુભમન ગિલે બુધવારે કહ્યું કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા અઠવાડિયે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફરશે. બુમરાહને તેના વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે આ અઠવાડિયે અહીં શરૂ થયેલી બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. તેણે લીડ્સમાં પહેલી ટેસ્ટ રમી હતી, જેમાં ભારત પાંચ વિકેટથી હારી ગયું હતું.
કુલદીપને તક ન મળી
પહેલી ટેસ્ટમાં ભારતની હાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે આ બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવને તક આપવામાં આવશે. પરંતુ ટીમ મેનેજમેન્ટે જાડેજા અને સુંદરને તક આપી. સુંદરને તેની બેટિંગ કુશળતાને કારણે તક આપવામાં આવી છે. છેલ્લી મેચમાં ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે. સાઈ બેટિંગમાં નિષ્ફળ ગયો. છેલ્લી મેચમાં શાર્દુલ ઠાકુરની બોલિંગ અને બેટિંગ બંને ફ્લોપ રહી. આવી સ્થિતિમાં તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.