SURAT

સુરતના આ યુવકે એવું તો શું કર્યું કે મૃત્યુ બાદ પરિવારે મોઢું જોવાની ના પાડી દીધી

સુરત: સુરતના પાંડેસરા(Pandesara)માં આ બનાવ બન્યો છે. પ્રેમલગ્ન(Lovemarrige)નાં એક વર્ષ બાદ જ યુપી(UP)વાસી યુવકે આત્મહત્યા(Suisaid) કરી લીધી હતી. પરિવારની સમ્મતી વગર થયેલા આ લગ્ન બાદ દીકરાની મોત(Death)ના સમાચાર(News) સાંભડીને પણ પરિવાર(Family)નું હ્યદય(Heart) ન પીગળ્યું અને દીકરાનું અંતિમ વાર મોઢું જોવાની પણ ના પાડી દીધી. હવે અંતિમસંસ્કાર કરવા માટે મિત્રો જ એકમાત્ર સહારો બન્યા છે.

રજનીશ (નાના ભાઈ)એ કહ્યું હતું કે શનિના આપઘાતની જાણ શુક્રવારે મોડી રાત્રે થઈ હતી. જોકે એક વર્ષ પહેલા લગ્ન કરીને ઘર છોડી ગયા બાદ અમારો કોઈ સંબંધ ભાઈ સાથે રહ્યો ન હતો. હાલે આ પરિવારમાં એક નાનો ભાઈ અને બહેન તેમજ માતા-પિતા સાથે રહે છે. પ્રેમ લગ્નના વિવાદમાં એણે પોતાનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો. એટલે એની કોઈ યાદગાર ફોટો પણ હવે પરિવાર પાસે રહી નથી.

મિત્રોના જણાવ્યા અનુસાર શનિ કોઈ કામધંધો કરતો ન હતો અને પરિવારના વિરુધ્ધમાં જઈ પ્રેમલગ્ન કર્યા હતા. પરિણામે પરિવારે સંબંધ તોડી નાંખવાની વાત કરી હતી. ખૂબ મોટા ઝગડા બાદ પણ બંને પ્રેમ યુગલએ લગ્ન કરી લીધા માટે બંનેના પરિવારે સંબંધો લેખિતમાં તોડી નાંખ્યા હતા. પરિવારને શુક્રવારની રાત્રિએ આપઘાતની જાણ કરવામાં આવી હતી તેમ છતાં પરિવારનું કોઈ પણ સભ્ય પોસ્ટ મોર્ટમ રૂમ કે પોલીસ સ્ટેશન આવ્યું ન હતું. વધુમાં જણાવ્યું હતું કે હાલ શનિ ના અંતિમ સંસ્કાર અને અંતિમ વિધિ ને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસની જાણ બાદ પણ પરિવાર પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે નહિ આવતા હાલ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે શનિના આપઘાત પાછળનું કારણ પિતાએ લીધેલ ખાનગી ફાયનાન્સર પાસેની લોન પણ હોઇ શકે છે. પૈસા પિતાએ વાપર્યા અને ઉઘરાણી શનિ પાસે કરાતી હોવાની વાત સામે આવી છે. શનિના કાકા આવા દુઃખદ સમયમાં ભાઈને સમજાવવા ઉધના શાકમાર્કેટ ગયા હતા. પરંતુ પિતાએ ‘મારો કોઈ દીકરો નથી.’ એમ કહી બધાને હાંકી કાઢ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આવી પરિસ્થિતિમાં શનિના અંતિંસંસ્કાર માટે મિત્રો જ એકમાત્ર સહારો છે. અને શનિની પત્નીનું હવે શું થશે એ મોટો પ્રશ્ન છે.

Most Popular

To Top