SURAT

સુરતમાં 2 કરોડની લૂંટની તપાસ વરાછા પોલીસ પાસેથી આંચકી ક્રાઈમ બ્રાંચને સોંપાઈ!

સુરત: (Surat) વરાછામાં બે કરોડની થયેલી લૂંટ (Loot) પ્રકરણમાં વરાછા પોલીસ (Varachha Police) પાસેથી તપાસ લઇને હવે ક્રાઇમ બ્રાન્ચને (Crime Branch) તપાસ સોંપવામાં આવી છે. પોલીસે આ સાથે મુખ્ય માણસ ગણાતા પી.કે ઝાલા સહિત ત્રણને પકડી પાડ્યા હોવાની પણ વિગતો મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા હૈદ્રાબાદમાં પેઇન્ટ પ્રોટેકશન અને ઓટોમોબાઇલ્સના વેપાર સાથે સંકળાયેલા વિનય નવીનભાઇ જૈન પાસેથી 2 કરોડ ભરેલા બેગની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં શનિવારે પોલીસે ગુનો નોંધીને વિનયનું નિવેદન લીધું હતું. જેમાં આ સમગ્ર લૂંટ ક્રિપ્ટો કરન્સીના કારણે થઇ હોવાનું બહાર આવ્યું છે. વિનય અમેરિકામાં રહેતા પોતાના ભાઇના ખાતામાં જે ક્રિપ્ટો કરન્સી હતી તે સુરતમાં રહેતા શ્રી સિધ્ધિ આંગડીયા પેઢીમાં ટ્રાન્સફર કરી આપવાનું કહીને વિનયભાઇને બોલાવ્યા હતા.

આ દરમિયાન બપોરના સમયે ફોર્ચ્યુનર કારમાં 10 ઇસમો આવ્યા હતા અને તેઓએ ઝપાઝપી કરીને 2 કરોડની લૂંટ ચલાવી હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ કેસમાં પોલીસ કમિશનરને વરાછા પોલીસ પાસેથી તપાસ આંચકીને ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. લૂંટ પ્રકરણમાં અગાઉ ચાર આરોપીની ધરપકડ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે હાલમાં પી.કે. ઝાલા તેમજ તેના બે માણસોની ધરપકડ કરી હોવાની વિગતો પણ બહાર આવી છે.

પુણા પોલીસે ચાર્જશીટ જ રજૂ નહીં કરતા આરોપીએ 133 દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો
સુરત: પુણા પોલીસે છેતરપિંડીના આરોપીના કેસમાં 60 દિવસ પછી પણ ચાર્જસીટ નહીં કરતા આરોપીને 133 દિવસથી સબજેલમાં રહેવાનો વારો આવ્યો હતો. આરોપીના વકીલે કોર્ટ સમક્ષ ડિફોલ્ડ જામીન માટેની અરજી કરતા કોર્ટે મંજુરી આપી હતી. પૂણા પોલીસ સામે પહેલેથીજ ગેરરિતીના સંખ્યાબંધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં સ્થાનિક અધિકારીઓને કોણ રક્ષણ આપી રહ્યુ છે તેની સામે પ્રશ્નાર્થ છે.

પુણા પોલીસ સ્ટેશનમાં મીતુલ પ્રભુદાસ સાગર (પટેલ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ પીએસઆઈ ડીડી રોહીત દ્વારા કરવામાં આવી હતી. મીતુલ પટેલે તેમના વકીલ મારફતે કોર્ટમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૬૭(૨) અન્વયે ડીફોલ્ટ જામીન ઉપર મુકત કરવાની અરજી કરી હતી. જે અરજી કોર્ટે મંજુર કરી હતી. આરોપીને પીએસઆઈએ 22 સપ્ટેમ્બર 2021 માં કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારથી આરોપી લાજપોર જેલ ખાતે જયુડીસ્યલ કસ્ટડીમાં હતો. 133 દિવસથી આરોપી જેલમાં છે. જ્યારે તપાસ અધિકારીએ 60 દિવસમાં ચાર્જસીટ કરવાની હોય છે. જેને કારણે કોર્ટે ડીફોલ્ટ જામીન મેળવવા અંગેની અરજી મંજુ૨ કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોર્ટે પોલીસ કમિશનરને તપાસ અધિકારી સામે નીયમ મુજબ પગલા ભરવા હુકમ કર્યો છે.

Most Popular

To Top