Vadodara

બે વાહનો સહિત મકાનમાં એકાએક આગ લાગતા તંત્રમાં દોડધામ

વડોદરા: શહેરમાં સૂર્યનારાયણ દેવ અગન ગોળા વરસાવી રહ્યા છે.ત્યારે આગના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.ગુરુવારે શહેરમાં આગના ત્રણ બનાવ બન્યા હતા.જેમાં બે સ્થળ હોય કાર માં આગ લાગવાની ઘટના બની હતી.જ્યારે એક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબે આ ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેવામાં ગુરુવારે દિવસ દરમિયાન ત્રણ આગની ઘટના બનતા ફાયર બ્રિગેડ તંત્રમાં દોડધામ મચી હતી.વડસર પાસે આવેલી અક્ષર રેસિડેન્સીમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.જ્યારે બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

જ્યારે બીજા એક બનાવવામાં માંજલપુર એવા મોલની આગળ આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર પાસે ગાડીમાં આગ લાગી હતી જેના કારણે હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડના જવાનો તુરંત સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે ત્રીજા એક બનાવમાં કરોળિયા રોડ રેલ્વે લાઈન નર્મદા કેનાલ પાસે આવેલ એક મકાનમાં આગ લાગતા લોકોના જીવ પડી કે બંધાયા હતા બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ કરો સુરત સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.જોકે ઘરવકરી આગની લપેટમાં આવી જતા નુકસાન થયું હતું.

Most Popular

To Top