Dakshin Gujarat

અંકલેશ્વરની સાયન ગ્રીનોકેમ કંપનીમાં આગ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સાયન ગ્રીનોકેમ કંપનીમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. બે જેટલાં ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં સાયન ગ્રીનોકેમ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર ડાઇઝ કેમિકલમાં આગ લાગતાં કંપનીમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.

જો કે, કામદારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. કંપની સંચાલકોએ જીઆઇડીસી ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતાં બે જેટલા ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો દોડી આવી ગણતરીની મિનીટોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી સૌને હાશકારો થયો હતો.

Most Popular

To Top