Gujarat

પ્લેન ક્રેશમાં જીવિત બચેલો મુસાફર આ નંબરની સીટ પર બેઠો હતો, કહ્યું- ‘આ ચમત્કાર છે’

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇંડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા જેને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈના બચવાની કોઈ આશા નથી. જોકે અમદાવાદમાં એક ચમત્કાર જોવા મળ્યો જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા. મળતી માહિતી મુજબ આ વિમાનમાં સવાર ભારતીય મુળનો એક બ્રિટિશ નાગરિક બચી ગયો છે.

વ્યક્તિ કઈ સીટ પર બેઠો હતો?
આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા બ્રિટિશ નાગરિકનો સીટ નંબર 11A હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય ભારતીય મુળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. 242 લોકોથી ભરેલી ફ્લાઇટમાં એક વ્યક્તિના બચી જવાને ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. હાલમાં રમેશ વિશ્વાસ કુમાર ઘાયલ છે જેની સારવાર ચાલી રહી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ મુસાફર વીડિયોમાં જાતે ચાલીને જતો જોવા મળે છે. રમેશ વિશ્વાસ કુમારનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે જેમાં સીટ નંબર 11A લખેલું છે.

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે પોલીસને સીટ નંબર 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવી છે. તે વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવી છે અને તેની સારવાર ચાલી રહી છે.

‘જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો હતા’
40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે પોતાની વાર્તા કહી. તેમણે કહ્યું ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. વિમાનના ટુકડા મારી આસપાસ વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયો.

વિશ્વાસ પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો
બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પાછો જઈ રહ્યો હતો. વિશ્વાસે જણાવ્યું કે તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે.

જીવંત મળી આવેલી વ્યક્તિની સારવાર ચાલી રહી છે
એએનઆઈ સાથે ફોન પર વાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે પોલીસને સીટ નંબર 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવી છે. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક મુસાફર જીવિત મળી આવ્યો છે. આ ઉપરાંત પણ વધુ મુસાફરો જીવિત હોઈ શકે છે.

જણાવી દઈએ કે ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું. વિમાનમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે.

Most Popular

To Top