કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના પશ્ચિમ વિનોદ નગરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે “કેજરીવાલ જે મનમાં આવે તે કહે છે. શું તમને યાદ છે કે કેજરીવાલે થાંભલા પર ચઢીને કહ્યું હતું કે તેઓ એક અલગ પ્રકારનું રાજકારણ કરશે. તમે તેમનું ઘર જોયું છે, તે ઘર નથી પણ શીશ મહેલ છે. તેઓ સૌથી સ્વચ્છ રાજકારણ કરવાની વાત લઈને આવ્યા હતા અને દિલ્હીમાં સૌથી મોટો દારૂ કૌભાંડ થયો.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કેજરીવાલ રાજકારણમાં આવ્યા ત્યારે તેમની પાસે એક નાની કાર હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ એક નવા પ્રકારનું રાજકારણ કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીને બદલી નાખશે, પરંતુ જ્યારે ગરીબોને તેમની જરૂર હતી, ત્યારે તેઓ ત્યાં નહોતા. રમખાણો થયા ત્યારે તે ત્યાં નહોતા. તેમણે કહ્યું હતું કે તેઓ સ્વચ્છ રાજકારણ કરશે. કેજરીવાલ ‘શીશ મહેલ’ નામના મહેલમાં રહે છે… આ તેમનું સત્ય છે. તમને જણાવી દઈએ કે ભાજપ પણ કથિત દારૂ કૌભાંડને લઈને અરવિંદ કેજરીવાલ પર સતત હુમલો કરી રહી છે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ‘શીશમહેલ’ કહી રહી છે.
રાહુલ ગાંધીએ ભાજપ પર પણ નિશાન સાધ્યું
ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ-ભાજપ ભાઈઓને એકબીજા સામે લડાવે છે. તેમણે જીએસટી લાગુ કર્યો. નોટબંધી અને GST થી કોને ફાયદો? તેમણે દાવો કર્યો કે આનાથી અબજોપતિઓને ફાયદો થયો. તેમની નીતિ અબજોપતિઓ માટે છે.
અઝાન દરમિયાન રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ બંધ કરી દીધું
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક તરફ ભાજપ-આરએસએસના લોકો છે, જેઓ દેશમાં નફરત અને હિંસા ફેલાવે છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી અને આપણી વિચારધારા છે. આપણે ‘નફરતના બજારમાં પ્રેમની દુકાન’ ખોલીએ છીએ. અમને નફરત, ભય અને હિંસાનું ભારત નથી જોઈતું. આપણને પ્રેમની દુકાનની જરૂર છે. દરમિયાન અઝાન થતા તેઓએ તેમનું ભાષણ અટકાવી દીધું હતું.
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં ગયા અને લોકોને મળ્યા અને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય દિલ્હીમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો અને અહીંના લોકોને સુખી અને સુરક્ષિત જીવન પૂરું પાડવાનો છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)