National

ભાજપના પીઢ નેતા એલ.કે. અડવાણીની તબિયત બગડી, દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ અને ભાજપના પીઢ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની બુધવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડી છે. તેમને મોડી રાત્રે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અડવાણીને મોડી રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. અડવાણી હાલમાં AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તાજેતરમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ તેમને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 96 વર્ષના અડવાણી વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે ડૉક્ટર તેમને ઘરે તપાસે છે. પરંતુ બુધવારે રાત્રે તેમને થોડી સમસ્યાનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ તેમને દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા. તે AIIMSના યુરોલોજી વિભાગમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે.

ત્રીજી વખત એનડીએની સરકાર બન્યા બાદ તમામ બીજેપી નેતાઓ અડવાણીને મળ્યા હતા. તે સમયે તેમની તબિયત સારી હતી. ત્રીજી વખત NDAના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અડવાણીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મોદી ઉપરાંત અન્ય ઘણા મંત્રીઓ અને નેતાઓ અડવાણીને મળ્યા હતા.

Most Popular

To Top