National

હવે કેવી છે પ્રેમાનંદ મહારાજની તબિયત?, અચાનક એવી હાલત થઈ કે પરિક્રમા અધવચ્ચે છોડવી પડી હતી

ગયા શનિવારે તા. 25 જાન્યુઆરીએ લગભગ 3 વાગ્યે પ્રેમાનંદ મહારાજની તબિયત અચાનક બગડી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી હતી, જ્યારે તેઓ ગિરિરાજ પર્વતની પરિક્રમા કરવા આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત બગડી અને મહારાજજીને ગોવર્ધન પરિક્રમા અધવચ્ચે છોડીને પરત ફરવું પડ્યું હતા. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ભક્તોમાં હલચલ મચી ગઈ હતી અને બધા તેમના સારા સ્વાસ્થ્યની કામના કરવા લાગ્યા હતા. હવે તમામ ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સંત પ્રેમાનંદ મહારાજની તબિયત બિલકુલ ઠીક છે. દરરોજની જેમ આજે સોમવારે તા. 27 જાન્યુઆરીની બપોરે 2.15 કલાકે તેઓ તેમના નિવાસસ્થાનથી શ્રી રાધાકેલી કુંજ આશ્રમ સુધી પગપાળા યાત્રા કરીને તેમના ભક્તોને દર્શન આપ્યા હતા. જે બાદ તેમણે સત્સંગ કર્યો હતો અને ભક્તો સાથે ખાનગી વાતચીત કરી હતી.

પ્રેમાનંદ મહારાજને સ્વસ્થ જોઈને તેમના ભક્તો ખૂબ ખુશ થયા. આ અગાઉ પણ ઘણી વખત સંતની તબિયત બગડી છે. કિડનીની સમસ્યાને કારણે તેમને ઘણી વખત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકો માને છે કે સંતને રાધા-રાણીના આશીર્વાદ છે.

મહારાજની તબિયત કેવી રીતે બગડી?
ગયા શુક્રવારે સંત પ્રેમાનંદ મહારાજે વૃંદાવનની પરિક્રમા કરી હતી. પરંતુ પરિક્રમા કરતી વખતે અચાનક તેમના ભક્તોની ભીડ વધી થઈ ગઈ. યાત્રિકોની વધતી ભીડ જોઈને સંત પ્રેમાનંદ મહારાજને તેમના આશ્રમમાં પાછા ફરવું પડ્યું હતું. બીજા દિવસે તેઓ ગિરિરાજ પર્વતની પરિક્રમા કરવા ગયા હતા જ્યાં લગભગ 7 કિમીનું અંતર કાપ્યા પછી સંતને થાક લાગવા લાગ્યો હતો.

આવી સ્થિતિમાં તેમણે બાડી પરિક્રમા માર્ગ પર આવેલા અનુર ગામના ગોવિંદ કુંડમાં આરામ કર્યો હતો. કિડનીની બીમારી અને અન્ય સમસ્યાઓથી પીડિત સંત પ્રેમાનંદ મહારાજે તેમની તબિયત લથડતા પરિક્રમા અધવચ્ચે છોડી દીધી હતી. જે બાદ તેણે પરિક્મા માર્ગના પગને સ્પર્શ કરીને માફી માંગી હતી. તેમની હાલત જોઈને તરત જ એક વાહન બોલાવવામાં આવ્યું અને તેને વૃંદાવન પરત લાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top