National

કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું, ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાત, જાણો શું છે નવું નામ?

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંદામાન નિકોબાર ટાપુની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને વિજયપુરમ કરી દીધું છે. પોર્ટ બ્લેરના નવા નામની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં કરી હતી. અમિત શાહે કહ્યું કે દેશને સંસ્થાનવાદી ઓળખથી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે. હવે ગુલામીની બીજી નિશાની ભૂંસાઈ ગઈ છે.

કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવે પોર્ટ બ્લેર ‘શ્રી વિજયપુરમ’ તરીકે ઓળખાશે. ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું ‘શ્રી વિજયપુરમ’ નામ આપણી આઝાદી માટેની લડત અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે.

તેણે આગળ લખ્યું, ‘આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. ચોલ સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. આ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ત્રિરંગો લહેરાવવામાંથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા સેલ્યુલર જેલમાં રહેલા ભારત માતાની આઝાદી માટેના સંઘર્ષ સુધીનું સ્થળ પણ છે.’

Most Popular

To Top