National

વારાણસી: PM મોદીએ એરપોર્ટ પર જ ગેંગરેપ કેસ વિશે માહિતી માંગી, ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા કહ્યું

શુક્રવારે વારાણસીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરમાં થોડા દિવસો પહેલા બનેલી ગેંગરેપની ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને ઝડપી અને મજબૂત વલણ અપનાવવા કહ્યું હતું. વારાણસી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી આ બાબતની વિગતવાર માહિતી લીધી હતી.

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10:07 વાગ્યે તેમની 50મી મુલાકાત પર વારાણસી પહોંચ્યા. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પીએમએ પોલીસ કમિશનર મોહિત અગ્રવાલને વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ કેસ અંગે પૂછપરછ કરી. તેમણે કમિશનર પાસેથી ઘટનાની સંપૂર્ણ વિગતો લીધી. કહ્યું- બધા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉપરાંત આવી ઘટના ફરી ન બનવી જોઈએ. આ ઘટના 15 દિવસ પહેલા બની હતી

કમિશનરે પીએમ મોદીને કેસનો સંપૂર્ણ સ્ટેટસ રિપોર્ટ આપ્યો. તેમણે કહ્યું કે આ કેસમાં મુખ્ય આરોપી સહિત 9 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીના કાફેને સીલ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં વારાણસીમાં 19 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે 11 અજાણ્યા યુવાનો અને 12 નામાંકિત યુવાનો સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓની શોધ ચાલુ છે. 29 માર્ચે વારાણસીમાં એક ગ્રેજ્યુએટ વિદ્યાર્થિની પર 23 છોકરાઓએ 7 દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને પછી તેને રસ્તા પર ફેંકી દીધી હતી અને ભાગી ગયા હતા. વિદ્યાર્થીની નાજુક હાલતમાં ઘરે પહોંચી હતી અને બે દિવસ સુધી બેભાન રહી હતી.

જણાવી દઈએ કે એરપોર્ટથી પીએમ હેલિકોપ્ટર દ્વારા મહેંદી ગંજ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત સીએમ યોગીએ કર્યું હતું. તેમને કમળની છત્રી ભેટમાં આપી હતી. પીએમએ અહીં 3,884 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પછી પીએમ મોદીએ લગભગ 35 મિનિટ સુધી જાહેર સભાને સંબોધિત કરી. ભાષણમાં તેમણે ખેડૂતો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

Most Popular

To Top