National

PM મોદીએ વારાણસીમાં આઇ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, 5 રાજ્યોને 6100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા છે. પીએમ મોદીએ કાશીમાં આરજે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગી પણ હાજર હતા. વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદી આજે બાબતપુર એરપોર્ટના વિસ્તરણ હેઠળ નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. પીએમ મોદી વારાણસીથી જ 5 રાજ્યોને લગભગ 6,611 કરોડ રૂપિયાના 24 પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે.

વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદી સ્વાસ્થ્ય, શિક્ષણ, રમતગમત, ધર્મ, પર્યટન અને આવાસ સાથે સંબંધિત અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા નવા મફત ભોજન કાર્યક્રમની પણ જાહેરાત કરી શકે છે. PM મોદી વારાણસીની મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે એક્સટેન્શન અને બિલ્ડિંગનો શિલાન્યાસ કરવાના છે. આ સાથે તેઓ ગિલટ બજારથી અતુલાનંદ સુધી રોડ શો કરશે અને સિગરા સ્ટેડિયમમાં જાહેર સભા કરશે.

ગંગા પર રેલ-રોડ પુલને મંજૂરી મળી
વારાણસીની મુલાકાત પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘કાશીના લોકોની સુવિધા માટે અમે કોઈ કસર છોડી રહ્યા નથી. આ શ્રેણીમાં ગંગા પરના રેલ-રોડ પુલને મંજૂરી આપવામાં આવી છે. આનાથી અહીંના યાત્રાળુઓ, પ્રવાસીઓ અને લોકોને વધુ સારી કનેક્ટિવિટી તો મળશે જ પરંતુ નવી રોજગારી અને વ્યવસાયની તકો પણ ઊભી થશે. સરકારના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 2,642 કરોડ રૂપિયા હશે. તે ચાર વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે.

Most Popular

To Top