Gujarat

પીએમ મોદી ભાવનગર આવશે – વાવાઝોડાથી અસર પામેલા જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરશે

ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યુ છે , આ ઉપરાંત ૧૩ લોકોએ જાન ગૂમાવ્યો છે ત્યારે , સમગ્ર સ્થિતિની જાત માહિતી મેળવવા આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.

આવતીકાલે મોદી હવાઈ માર્ગે ભાવનગર આવશે , એટલું જ નહીં અમરેલી , ગીર સોમનાથ , અને ભાવનગર જિલ્લાના વાવાજોડાથી અસર પામેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.તે પછી મોદી અમદાવાદ આવશે અને રાજયના સીએમ વિજય રૂપાણી તેમજ સીનીયર સચિવો સાથે બેઠક કરીને નુકસાનીની વિગતો મેળવશે , બેઠક બાદ મોદી નવી દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top