National

અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં PM મોદી પહોંચ્યા, બંનેએ PMના ચરણ સ્પર્શ કર્યા

મુંબઈ: (Mumbai) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અનંત અને રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપવા મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા જ્યાં અંબાણી પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આશીર્વાદ સમારોહમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત સહિત દેશ-વિદેશની હસ્તીઓએ હાજરી આપી હતી. આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નનો આશીર્વાદ સમારોહ આજે Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાયો. PM નરેન્દ્ર મોદી રાત્રે 8:30 વાગ્યે અહીં પહોંચ્યા હતા. તેઓએ અહીં રાત્રિભોજન પણ કર્યું હતું. PMની હાજરીમાં મુકેશ અંબાણીએ કહ્યું- અનંત અને રાધિકા સાત જન્મના સાથી બની ગયા છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સમારોહમાં ભાગ લીધો હતો. અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા.

અમેરિકન રિયાલિટી ટીવી પર્સનાલિટી કિમ કાર્દાશિયન અને તેની બહેન ક્લો કાર્દાશિયને પણ સમારોહમાં હાજરી આપી હતી. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે શુક્રવારે મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા.

Most Popular

To Top