National

સંસદમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને કોંગ્રેસ સાંસદ ખડગે વચ્ચે શાબ્દિક યુદ્ધ, ઘનખડે કહ્યું- તમને કોણે બનાવ્યા તે..

રાજ્યસભાની (Rajya Sabha) મંગળવારની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કોંગ્રેસના (Congress) નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અધ્યક્ષે ખડગે પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમારી જેટલી ખુરશીનું અપમાન કોઈએ કર્યું નથી. ધનખરે ચેતવણી આપી હતી કે તમે દર વખતે ખુરશીને નીચું ન દેખાડી શકો.

સંસદ સત્રના 7મા દિવસની કાર્યવાહી મંગળવાર 2 જુલાઈએ હંગામેદાર રહી હતી. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ખડગે અને અધ્યક્ષ ધનખર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સોનિયા ગાંધીએ મને બનાવ્યો છે. ન તો રમેશ બનાવી શકે, ન તમે બનાવી શકો, જનતાએ મને બનાવ્યો છે. તેના પર ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે હું તે સ્તર પર આવવા માંગતો નથી. તમને કોણે બનાવ્યા તે તમે જાણો. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે તમારી પ્રતિષ્ઠાને ફટકો પડ્યો, મેં તમારી પ્રતિષ્ઠાને બચાવી છે.

તમે દર વખતે ખુરશીને નીચું ન જોવડાવી શકો. તમે દરેક વખતે ખુરશીનો અનાદર કરી શકતા નથી. હું શું કહું છું તે સમજ્યા વિના તમે અચાનક ઉભા થઈને કંઈ પણ બોલવા લાગો છો. આ દેશના ઈતિહાસમાં અને સંસદીય લોકશાહી અને રાજ્યસભાની કાર્યવાહીમાં ક્યારેય અધ્યક્ષની આટલી અવગણના નથી થઈ જે તમે કરી રહ્યા છો. હવે તમારા માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે.

અહીં લોકસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ સૌથી પહેલા બોલવા આવ્યા હતા. તેમણે કહ્યું અમે નાનપણથી સાંભળતા આવ્યા છીએ- હોઈહિ સોઇ જો રામ રચી રખા. અયોધ્યાની જીતે આ સાબિત કર્યું. તેઓએ તેમને હરાવ્યા જેમણે કહ્યું કે અમે તેમને લાવ્યા છીએ. તેમણે કહ્યું- સરકાર પોતે જ પેપર લીક કરી રહી છે, જેથી યુવાનોને નોકરી ન આપવી પડે.

સોમવારે પણ જોરદાર ચર્ચા થઈ હતી
સોમવારે પણ રાજ્યસભામાં અધ્યક્ષ ધનખર અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. વાસ્તવમાં ખડગેએ પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે શૈક્ષણિક સંસ્થાઓ પર આરએસએસ અને બીજેપીના લોકોએ કબજો કરી લીધો છે. અધ્યક્ષે આનો વાંધો ઉઠાવ્યો અને રાજ્યસભાની કાર્યવાહીમાંથી તેમના નિવેદનને હટાવવાનો નિર્દેશ આપ્યો. અધ્યક્ષે પૂછ્યું કે શું કોઈ સંસ્થાના સભ્ય બનવું ગુનો છે? તમે જે કહો છો તે બિલકુલ ખોટું છે. શું RSS ના સભ્ય બનવું ગુનો છે? આ એક સંસ્થા છે, જે રાષ્ટ્ર માટે કામ કરી રહી છે, દેશ માટે યોગદાન આપી રહી છે. તેના પર ખડગેએ કહ્યું કે સંઘની વિચારધારા દેશ માટે ખતરનાક છે. અધ્યક્ષે ખડગેના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top