Gujarat

તલાટીની પરીક્ષા હવે 30મી એપ્રિલના બદલે 7મી મેના રોજ લેવાશે

ગાંધીનગર: રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (Exam) પેપર લીક (Paper leak) કાંડ રોકવા માટે 10 વર્ષની કેદ તથા 1 કરોડનો દંડ અને પ્રોપર્ટી જપ્ત કકરવાની જોગવાઈ સાથેનો નવો કાયદો અમલમાં આવ્યા પછી હવે રાજય સરકાર બીજી મહત્વની પરીક્ષા લેવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જુનિયર કલાર્કની પરીક્ષા લીધા પછી હવે સરકાર તલાટીની પરીક્ષા લેવા આગળ વધી રહી છે. જો કે તલાટીની પરીક્ષા 30મી એપ્રિલના બદલે તા.7મી મેના રોજ લેવાય તેવી સંભાવના છે. રાજયભરમાં પરીક્ષા કેન્દ્રો સમયસર નહીં મળવાના કારણે સરકારને પરીક્ષા વાછી ઠેલવાનો નિર્ણય લેવો પડયો છે. કેબીનેટ પ્રવકત્તા અને સિનિયર મંત્રી ઋષિકેશ પટેલે કહયું હતું કે , આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં કુલ 17 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે.

  • પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ ઓજસ વેબ સાઈટ પર ફોર્મ ભરતી વખતે પોતે પરીક્ષા આપશે એવી ખાતરી આપવી પડશે
  • પેપરલીક કાંડ રોકવા નવો કાયદો ઘડાયા પછી હવે રાજયમાં બીજી મહત્વની પરીક્ષા લેવાશે

અગાઉ પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ (આઈપીએસ)એ કહ્યું હતું કે આમ તો રાજયમાં તલાટીની પરીક્ષા આગામી તા.30મી એપ્રિલના રોજ લેવાનાર છે. જો કે પરીક્ષા કેન્દ્રો સંમયસર મળી જાય તો જ આ તારીખે પરીક્ષા લેવાનું શકય બનશે, અલબત્ત, ત્રણેક દિવસની અંદર આ અંગે આખરી નિર્ણય લેવાઈ જશે.તલાટીની પરીક્ષા માટે 17.5 લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. આ પરીક્ષા કેન્દ્રના મામલે જ પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ છે. આજે સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને કેબીનેટ બેઠક મળી હતી. જેમાં આ પરીક્ષા તા.7મી મેના રોજ લેવાનો નિર્ણય લેવાયો હતો. તલાટીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ ઓજસ વેબ સાઈટ પર ફોર્મ ભરતી વખતે ઉમેદવારે પોતે પરીક્ષા આપવા આવીશ એવી ખાતરી પણ આપવી પડશે, જેના પગલે રાજય સરકારને એક ઉમેદવાર દીઠ થતો ખર્ચ ટાળી શકાય.

Most Popular

To Top