World

“મોદી પાકિસ્તાન માટે સારા છે’, પડોશી દેશના ઉદ્યોગપતિએ વડાપ્રધાનના ભરપેટ કર્યા વખાણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ 9મી જૂન એટલે કે આવતીકાલે સાંજે યોજાશે, જેમાં પીએમ મોદીની સાથે મંત્રીઓ પણ શપથ લેશે. એક પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયાથી ખૂબ જ ખુશ છે.

પાકિસ્તાનના બિઝનેસમેને તાજેતરમાં ભારતના નવા ચૂંટાયેલા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે તો બધા વાકેફ હશે, પરંતુ હવે એક પાકિસ્તાની-અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીનું ફરી એકવાર વડાપ્રધાન બનવું એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સ્થિરતાની ગેરંટી છે.

ઉદ્યોગપતિ સાજિદ તરારે મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતની સ્થિરતા જાળવવામાં અને સંભવિત અસ્થિરતાને રોકવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધોની અપેક્ષા રાખતા તરારએ કહ્યું કે ભારતની ભાવિ સ્થિરતા માટે મોદીનું નેતૃત્વ જરૂરી છે. રાજકીય ઉથલપાથલ અટકાવવા અને દેશના બંધારણને જાળવી રાખવા માટે તેઓ મજબૂત નેતા છે.

તેમણે વધુમાં કહ્યું કે મોદીનું નેતૃત્વ ભારતની સ્થિરતા અને ભવિષ્યની સંભાવનાઓની ગેરંટી છે. મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તરારે કહ્યું કે પાકિસ્તાનના લોકો બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની અપેક્ષા રાખે છે.

મોદી પાકિસ્તાન માટે પણ સારા છે
તરારે વધુમાં કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ તરફથી મોદીને અભિનંદન સંદેશ ન મોકલવા પર હું નિરાશ થયો છું. મને આશા છે કે શરીફ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મોદી પરના આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા તરારએ કહ્યું કે મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ પાકિસ્તાન માટે પણ ફાયદાકારક છે. તેમણે કહ્યું કે મોદીના સતત નેતૃત્વમાં બંને દેશો વચ્ચે વેપાર વધવાની અને સારા સંબંધોની સંભાવના છે.

Most Popular

To Top