National

LOC પર તણાવઃ પાકિસ્તાની સેનાનું ફાયરિંગ, ભારતની આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો

પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર પૂંછ જિલ્લામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ યુદ્ધવિરામ ઉલ્લંઘનની સત્તાવાર પુષ્ટિ કરી છે.

અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ક્રોસ ફાયરિંગની આવી જ ઘટનાઓ નોંધાઈ હતી. મંગળવારે ભારતીય સેનાએ પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો. ચારથી પાંચ ઘુસણખોરો માર્યા ગયા હોવાની શંકા છે.

પાકિસ્તાની સૈનિકો અને ઘૂસણખોરોએ ગોળીબાર શરૂ કર્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાના ચારથી પાંચ ઘુસણખોરો માર્યા ગયા છે, જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારતીય સેનાએ કહ્યું કે આ સંઘર્ષમાં તેમને કોઈ જાન કે માલનું નુકસાન થયું નથી.

દિવસભર તૂટક તૂટક ગોળીબાર ચાલુ રહ્યો અને ભારતીય સેના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં સંપૂર્ણપણે તૈનાત છે. છેલ્લા બે મહિનામાં નિયંત્રણ રેખા (LoC) ના દક્ષિણ પીર પંજાલ સેક્ટરમાં સરહદ પારથી ગોળીબારની ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે.

પાકિસ્તાન તરફથી સ્નાઈપિંગ, ફાયરિંગ અને બોર્ડર એક્શન ટીમ (BAT) ના હુમલાની ઘટનાઓ બની છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top