Top News

More Posts

   The Latest

Most Popular

અમેરિકાના ડલાસમાં 27 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હૈદરાબાદનો રહેવાસી ચંદ્રશેખર પોલ ગઈકાલે રાત્રે ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઇમ કામ કરી રહ્યો હતો ત્યારે તેની એક અજાણ્યા બંદૂકધારીએ હત્યા કરી દીધી હતી. ચંદ્રશેખર ટેક્સાસમાં ડેન્ટલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો હતો. હૈદરાબાદથી ડેન્ટલ સર્જરીમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી તે 2023 માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયો હતો.

છેલ્લા 15 દિવસમાં અમેરિકામાં તેલંગાણાના એક યુવાનની હત્યાથી સનસનાટી મચી ગઈ છે. તેલંગાણાના હૈદરાબાદના એલબી નગરના રહેવાસી પોલ ચંદ્રશેખરની અમેરિકાના ડલ્લાસમાં લૂંટારુઓએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે બીડીએસ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયો હતો. પરંતુ આ યુવાનના સપના ચકનાચૂર થઈ ગયા. દલિત યુવાનના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને તેના સમગ્ર પરિવારને ઘેરા આઘાતમાં ડૂબાડી દીધો છે.

હાદરાબાદમાં નેતાઓ પરિવારને મળ્યા
બીઆરએસના ધારાસભ્ય સુધીર રેડ્ડી અને ભૂતપૂર્વ મંત્રી ટી. હરીશ રાવે હૈદરાબાદમાં વિદ્યાર્થીના ઘરે મુલાકાત લીધી અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. આ ઘટનાને દુ:ખદ ઘટના ગણાવીને તેમણે સરકારને પોલના મૃતદેહને અમેરિકાથી પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.

15 દિવસ પહેલા તેલંગાણાના એક યુવાનની પણ હત્યા કરવામાં આવી હતી
આ ઘટનાના લગભગ 15 દિવસ પહેલા તેલંગાણાના બીજા એક યુવાનની પણ અમેરિકાના કેલિફોર્નિયામાં હત્યા કરવામાં આવી હતી. છરીના હુમલામાં તેનું મોત થયું હતું. મૃતકની ઓળખ મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે થઈ હતી જે તેલંગાણાના મહબૂબનગરનો રહેવાસી હતો. નિઝામુદ્દીન 2016 માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયો હતો. તેણે ફ્લોરિડામાં એક કોલેજમાં અભ્યાસ કર્યો હતો. લગભગ બે વર્ષ પછી તે એક કંપનીમાં જોડાયો હતો.

To Top