ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને...
યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ શાંતિ યોજના નિષ્ફળ ગઈ છેત્યારેરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાત...
શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા છબરડા બાદ ભૂલ સુધારી : પરિપત્ર જાહેર કર્યો જાહેર રજા ના દિવસે પણ પરીક્ષાનું સમયપત્રક તૈયાર થતા વાલીઓ...
વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને રાજ્ય પોલીસવડાએ વડોદરા કચેરીની મુલાકાત કરી વડોદરા તારીખ 5રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક ઇન્સ્પેક્શનને...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાત માટે ભારત આવ્યા છે. આજે (શુક્રવાર, 5 ડિસેમ્બર) પુતિનની મુલાકાતનો બીજો દિવસ છે. પુતિને રાજઘાટ...
વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા સિક્યોરિટીથી તત્વોને રોકવામા ના આવે તો પોલીસ બંદોબસ્તની પણ માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 સરસ્વતી ધામમાં ફરીથી અસામાજિક...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં...
પૂર્વ વિસ્તારમાં જળસંકટ: MGVCL એ બાપોદ ટાંકીનો પાવર કાપ્યો; SCADA અને પાલિકાના સંકલનનો અભાવ, વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને હાલાકી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં...
લગ્ન નોંધણીના કૌભાંડમાં વિવાદમાં આવેલા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા ગોધરા:;પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું અંતરિયાળ કણજીપાણી ગામ હાલ...
શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શિખર બેઠક દરમિયાન સંરક્ષણ, વેપાર, સહયોગ અને ઊર્જા...
સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો કર લાદશે. વધારાના કરમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે....
પ્રતિનિધી ગોધરા તા.5 સોશિયલ મીડિયા પર શેર કર્યો ગાય દોહતો વીડિયો પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ.હરેશ દુધાત ગુનેગારો સામે પોતાની કડક...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત વચ્ચે અમેરિકાએ તેની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર કરી છે. આ વ્યૂહરચના ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા...
શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી બંનેને...
ઇન્ડિગોએ મુસાફરોને નોંધપાત્ર રાહત આપી છે. તેણે તેમના પૈસા પરત કરવાનું વચન આપ્યું છે. એરલાઇને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમાં...
ઈજાગ્રસ્ત યુવાનને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ઓપરેશન પછી 15 દિવસ સુધી સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયો:સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું* *અકસ્માત...
રિક્ષામાં મોટું નુકસાન,ચાલક ઈજાગ્રસ્ત વિસ્તારના લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો...
કાલોલ : કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના દિવ્યરાજસિંહ ગણપતસિંહ સોલંકી આર્મી ટ્રેનીંગ પુરી કરી પોતાના વતનમાં આવતા કાલોલ બસ સ્ટેન્ડથી ભવ્ય સ્વાગત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.5 કમલાનગર તળાવ નજીક આવેલા જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. લાંબા સમયથી...
પીએમ મોદીએ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને ધ્રુવ તારા જેવી અડગ ગણાવી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ દાયકામાં વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રશિયન નાગરિકોને હવે...
ચલાવતા ન આવડતું હોવા છતાં યુવકે ચાવી નાખી સ્ટાર્ટર માર્યુંને સ્ટેરીંગ કંટ્રોલ ન થતા ટેમ્પો શ્રમજીવી પરિવાર પર ચડાવી દીધો, ગંભીર રીતે...
છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ઇન્ડિગો કટોકટીનો અંત નજીક છે. DGCA દ્વારા પોતાનો રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો છે. રામ મોહન નાયડુએ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. તેઓ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું....
છેલ્લાં ચાર દિવસથી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરો અટવાયા છે. આજે સતત ચોથા દિવસે દેશના વિવિધ એરપોર્ટ...
ભરૂચ વિસ્તારમાં હાઈસ્પીડમાં જતી કારે રાહદારીને ટક્કર મારી,ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો CCTV ફૂટેજમાં કાર ચાલકે રોંગ સાઈડ જઈને રાહદારીને અડફેટે લીધો....
સુરત: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રિંગ રોડ બ્રિજ પર તંત્ર દ્વારા કરવામાં આવેલા તાજેતરના કામને કારણે સુરતીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કૃષિ...
સુરત: શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્ત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે...
સુરત: સુરત જિલ્લા વકીલ મંડળની 2026 ના વર્ષની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી (મહિલા પ્રતિનિધિ) તથા 11 કારોબારી સભ્યોની ચૂંટણીનું...
સુરતઃ મહિધરપુરાના જાણીતા યાર્ન ડીલર અને સાંસદના પુત્રને ઓળખીતા વેપારીનો રેફરન્સ આપી 15થી 30 દિવસની ઉધારીમાં દામોડિયા દંપતીએ 55.13 લાખનું યાર્ન ઉધારીમાં...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને જે તે એરલાઈન્સે સપ્તાહમાં 48 કલાક આરામ આપવો પડશે. આ નિયમને કારણે વિવિધ એરલાઈન્સમાં પાયલોટ અને સ્ટાફની અછત ઊભી થવા પામી હતી. ભારતમાં 60 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઈન્ડિગો ચલાવતું હોવાથી આની સૌથી મોટી અસર ઈન્ડિગો પર થવા પામી હતી. છેલ્લા 4 જ દિવસમાં ઈન્ડિગોની 1200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ હતી. આખા દેશમાં વિમાની મુસાફરોમાં અંધાધુંધી થઈ ગઈ હતી.
લોકો પોતાના નિયત ગંતવ્ય સ્થળો પર પહોંચી શક્યા નહોતા. એક યુગલે તો પોતાના જ રિસેપ્શનમાં ઓનલાઈન હાજરી આપવી પડી હતી. આ સ્થિતિને જોઈને આખરે ડીજીસીએ પોતાનો અગાઉનો આદેશ પરત ખેંચવો પડ્યો છે. ડીજીસીએએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સાથે સંકળાયેલા નિયમો, ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન નો બીજો તબક્કો લાગુ કર્યો હતો. આ બીજા તબક્કાના નિયમોમાં, એરલાઇન કંપનીઓ માટે પાઇલટ્સને અઠવાડિયામાં 48 કલાક આરામ, એટલે કે બે દિવસનો સાપ્તાહિક આરામ આપવો ફરજિયાત બનાવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન કોઈ પણ રજાને સાપ્તાહિક આરામ ગણવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ડીજીસીએએ પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સની સતત નાઇટ શિફ્ટ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જેને કારણે મોટી સમસ્યા સર્જાવા પામી હતી. ઈન્ડિગો એરલાઇન ભારતમાં દિવસ દરમિયાન લગભગ 2,300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ સંખ્યા એર ઇન્ડિયા દ્વારા એક દિવસમાં સંચાલિત ફ્લાઇટ્સ કરતાં લગભગ બમણી છે. ઈન્ડિગોમાં છેલ્લા મહિનાથી ક્રુની અછત ચાલી જ રહી હતી. તેમાં આ નવા નિયમોએ મોટી મુશ્કેલી સર્જી હતી. નવેમ્બરમાં તેની 1232 ફ્લાઇટ્સ રદ થઈ હતી.
મંગળવારે 1400 ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત થઈ છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે. બુધવારે પણ ઇન્ડિગોની 200થી વધુ ફ્લાઇટ્સ પર અસર પડી હતી. જેને કારણે શુક્રવારે આખરે ડીજીસીએ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ નાયડુ, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ઈન્ડિગોના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રામ મોહન નાયડુએ બાદમાં ગૃહમંત્રી અમિત શાહને માહિતી આપી હતી અને બાદમાં ડીજીસીએ દ્વારા આ રોસ્ટરનો નિયમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ડીજીસીએ દ્વારા પોતાનો જ નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો પરંતુ છેલ્લા પાંચેક દિવસ દરમિયાન વિમાની મુસાફરી કરવા માંગતા જે લોકોએ ભયંકર ત્રાસ ભોગવવો પડ્યો તેના માટે જવાબદાર કોણ? ડીજીસીએ તો પોતે હાથ ખંખેરી નાખ્યા અને અનેક લોકોના આયોજનો બરબાદ થઈ ગયા. અનેક લોકોના પ્રવાસો અટવાઈ ગયા. કેટલાયના હનીમૂન રખડી પડ્યા.જેમને જરૂરીયાત હતી તેમણે અનેકગણાં નાણાં ખર્ચવા પડ્યા.
ખરેખર તો આ તમામ માટે ડીજીસીએને જવાબદાર ઠેરવવી જોઈએ. ડીજીસીએએ સમજ્યા વિના જ નિર્ણય લઈ લીધો અને આખા દેશમાં ભારે અંધાધૂંધી થઈ ગઈ. ઈન્ડિગો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે ભલે નિર્ણય પરત લઈ લેવામાં આવ્યો પરંતુ તમામ વિમાની સેવા વ્યવસ્થિત થવામાં 15મી ડિસેમ્બર સુધીનો સમય લાગી શકે છે. ત્યાં સુધી થનારી હેરાનગતિ મુસાફરોએ ભોગવવી પડે તેમ છે. સરકારે આ મુદ્દે તપાસ કરાવવી જોઈએ અને ડીજીસીએને યોગ્ય દંડ કરવો જોઈએ. જો તેમ થશે તો જ હેરાન થયેલા મુસાફરોને ન્યાય મળશે તે ચોક્કસ છે.