Vadodara

શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો ડેન્ગ્યૂ 34,ચિકનગુનિયાના 5 કેસ

વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 34 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1514 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 859 પર પહોંચ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાઉલ્ટીના 59 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 283 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 499 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 499 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 130 સેમ્પલમાંથી 34 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.
જેમાં શહેરના સુદામાપુરી -2 , બાપોદ , પાણીગેટ , વારસીયા , સંવાદ , છાણી , નવાપુરા , નવાયાર્ડ -3 , નવી ધરતી -3 , સમા , સીયાબાગ -5 , દંતેશ્વર -2 , કપુરાઈ , મકરપુરા -3, માણેજા -2 , માંજલપુર , યમુનામીલ , વડસર , તાંદલજા -2 , પંચવટીમાંથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 118 કેસો પૈકી 5 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના પંચવટી , નવાયાર્ડ , છાણી , મકરપુરા -2 કેસ નોંધાયા હતા.મેલરીયાનો 1 કેસ શિયાબાગ અને કમળાનો 1 કેસ ગાજરાવાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો.તો બીજી તરફ મચ્છરોના કારણે 499 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 499 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top