National

વાયનાડ ભૂસ્ખલન પર અમિત શાહે સંસદમાં કહ્યું, “અમે અઠવાડિયા પહેલાં એલર્ટ મેસેજ આપ્યો હતો, પણ..”

નવી દિલ્હીઃ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. અધ્યક્ષને સંબોધતા અમિત શાહે કહ્યું કે જ્યારે તમે આ વિષય પર ચર્ચા કરવાની મંજૂરી આપી ત્યારે મને લાગ્યું કે આજનો દિવસ કદાચ રાજકારણથી આગળ હશે પરંતુ કેટલીક કોમેન્ટ થઈ છે. તેમણે કહ્યું કે શું માહિતીના અભાવને કારણે આરોપ લગાવવામાં આવ્યા છે કે પછી દ્વેષના લીધે. મને ખબર નથી પરંતુ મારે સ્પષ્ટતા આપવી પડશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ તેમના ભાષણમાં અર્લી વોર્નિંગ, અર્લી વોર્નિંગ કહી રહ્યા છે. તે બધા ભારે શબ્દો અંગ્રેજીમાં બોલી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેરળ સરકારને 23 જુલાઈએ જ કેન્દ્ર સરકાર તરફથી અર્લી વોર્નિંગ આપવામાં આવી હતી. કેરળ સરકારને 23, 24 અને 25 જુલાઈના રોજ અર્લી વોર્નિંગ આપવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું કે 26 જુલાઈના રોજ કહેવામાં આવ્યું હતું કે 20 મીમીથી વધુ વરસાદ પડશે. ભૂસ્ખલન થઈ શકે છે, કાદવ પણ આવી શકે છે અને કેટલાક લોકો દટાઈને મરી પણ શકે છે. પ્લીઝ અમારી અર્લી વોર્નિંગ વાંચો. તેમણે કહ્યું કે અમે પહેલા પણ ઘણી સરકારોને અર્લી વોર્નિંગ આપી છે અને તેમણે સારું કામ પણ કર્યું છે.

ગૃહમંત્રીએ કહ્યું કે ઓડિશાને તોફાન માટે સાત દિવસ અગાઉ જ ચેતવણી આપવામાં આવી હતી. તે સમયે ઓડિશામાં અમારી સરકાર નહોતી. નવીન બાબુની સરકાર હતી અને તેમાં માત્ર એક વ્યક્તિનું મોત થયું હતું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની સરકારને પણ વહેલી ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાંની સરકારે પણ સારું કામ કર્યું છે. માત્ર સાત ઢોર માર્યા ગયા. અમારી પાસે વિશ્વની સૌથી આધુનિક પ્રારંભિક ચેતવણી સિસ્ટમ છે.

ગૃહમંત્રીએ કહ્યું કે હું કોઈને ટોણો મારતો નથી પરંતુ અમારી પાસે વરસાદ, હીટવેવ અને વીજળી માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે જે સીધી કલેક્ટરને માહિતી મોકલે છે. તેમણે કહ્યું કે આ માહિતી દરેક માટે સાઈટ પર ઉપલબ્ધ છે. માનનીય સભ્યો માટે પણ પરંતુ કેટલાક લોકોએ વિદેશી સાઈટ જ ખોલતા હોય છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર 2014માં આવી અને તેના પર કામ 2016માં શરૂ થયું. સરકારે તેના પર 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આજથી સાત દિવસ પહેલા અર્લી વોર્નિંગ સિસ્ટમ વિશ્વના ચાર દેશોમાં ઉપલબ્ધ છે, જેમાંથી એક ભારત છે.

કેરળ સરકારે લોકોને કેમ ન બહાર કાઢ્યા?
અમિત શાહે કહ્યું કે મારી મંજૂરીથી NDRFની નવ ટીમો 23મીએ કેરળ જવા રવાના થઈ છે. ગઈકાલે તા. 30 જુલાઈ ત્રણ ટીમો રવાના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો કેરળ સરકાર એનડીઆરએફના આગમન પછી પણ સતર્ક રહી હોત તો જીવ બચાવી શકાયો હોત. ગૃહમંત્રીએ કહ્યું કે કેરળ સરકારે લોકોને ત્યાંથી બહાર કાઢ્યા નથી. લોકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડતા કોણે રોક્યા? આ સમય રાજનીતિનો નથી પરંતુ કેરળની સરકાર અને તેના લોકો સાથે મજબૂતીથી ઊભા રહેવાનો છે.

તેમણે કહ્યું કે હું ગૃહને આશ્વાસન આપું છું કે પક્ષીય રાજકારણથી આગળ વધીને નરેન્દ્ર મોદીજીની સરકાર કેરળના લોકો અને ત્યાંની સરકાર સાથે ખડકની જેમ ઉભી છે. ગૃહમંત્રીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાને લગતી પ્રારંભિક ચેતવણીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે ઓડિશા સરકારને તોફાન માટે સાત દિવસ અગાઉ જ ચેતવણી આપી દીધી હતી. પછી ફક્ત એક જ માણસનું મૃત્યુ થયું. તેમણે કહ્યું કે ઓડિશામાં અમારી સરકાર નથી. નવીન બાબુની સરકાર હતી. પશ્ચિમ બંગાળમાં પણ વહેલી ચેતવણી આપવામાં આવી હતી અને માત્ર સાત પશુઓના મોત થયા હતા.

Most Popular

To Top