National

મહોમ્મદ પયગંબર પર ટીપ્પણી મામલે નૂપુર શર્મા સમગ્ર દેશની માફી માંગે: સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહોમ્મદ પયગંબર પરની ટિપ્પણી મામલે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને સમગ્ર દેશની માફી માંગવા માટે કહ્યું છે. ઉપરાંત, કોર્ટે કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેમના કારણે બની હતી. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા ભાજપની પ્રવક્તા રહી ચુકી છે. તેણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આનો ભારે વિરોધ થયો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી.

નૂપુર શર્માએ દેશભરના લોકોની લાગણીઓને ભડકાવી: સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે નૂપુર શર્મા દ્વારા મહોમ્મ્દ પયગંબર વિશે કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. નુપુરની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેની ટિપ્પણીએ દેશભરના લોકોની લાગણીઓને ભડકાવી છે. આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તેઓ જ જવાબદાર છે. કોર્ટે કહ્યું કે અમે ડિબેટ જોઈ છે, તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ત્યારબાદ તેઓએ જે કહ્યું તે વધુ શરમજનક છે.

ઉદયપુરમાં બનેલી હત્યાની ઘટના માટે નૂપુર શર્મા જવાબદાર: સુપ્રીમ કોર્ટ
નુપુર શર્મા અને તેની હળવી ભાષાએ આખા દેશમાં આગ લગાવી દીધી છે. ઉદયપુરમાં બનેલી કમનસીબ ઘટના માટે તેઓ જવાબદાર છે. જ્યારે વકીલે તેમની માફી અને પર કરવામાં આવેલી ટિપ્પણીને નમ્રતા સાથે પાછી ખેંચવાની વિનંતી કરી, ત્યારે બેન્ચે કહ્યું કે પાછી ખેંચવામાં મોડું થઈ ગયું છે. SCએ કહ્યું કે તેની ફરિયાદ પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ઘણી એફઆઈઆર હોવા છતાં, તેને હજી સુધી દિલ્હી પોલીસ તેના સુધી પહોચી શકી નથી.

નૂપુર શર્માના દેશભરમાં થયો હતો ભારે વિરોધ
નુપુર શર્મા ભાજપની પ્રવક્તા રહી ચુકી છે. તેઓએ તાજેતરમાં એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. ત્યારબાદ ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ પણ નોંધાયેલા છે. તેમજ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.

Most Popular

To Top