SURAT

ફાયર સેફ્ટીની ખામીના પગલે વધુ 19 હોસ્પિટલને નોટિસ, પડદા હટાવી દેવા સૂચના

સુરત: મનપાના ફાયર વિભાગ દ્વારા કોવિડ સેન્ટરો ( covid center ) અને હોસ્પિટલો ( hospital) મળી કુલ 34 જગ્યાએ ચેકિંગની કામગીરી કરતાં 19 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ( fire safety) ની ખામી મળતાં નોટિસ ફટકારી છે. ઉપરાંત તાજેતરમાં ભરૂચ ( bharuch) ની આગની દુર્ઘટનામાં હોસ્પિટલમાં તેમજ આયુષ હોસ્પિટલમાં આઇસીયુ ( icu) વિભાગમાં પડદા હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તમામ હોસ્પિટલોમાંથી બારીઓ પર લગાવેલા કાપડના પડદા હટાવી દેવા સાથે બિનજરૂરી ગાદલાં, ગોદડાં, આલ્કોહોલ સેનિટાઇઝ સહિતના સામાન પણ ખસેડવા સૂચના અપાઇ છે.

જેમાં અઠવા ઝોનમાં સંજીવની હોસ્પિટલ, ગુરુનાનક ધર્માર્થ હોસ્પિટલ, સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ, શ્રીહરિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, લાઇફ લાઇન હોસ્પિટલ, શ્રદ્વા મેટરનિટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, નોબલ હોસ્પિટલ, શાહ ચિલ્ડ્રન એન્ડ મેટરનિટી હોસ્પિટલ અને પીપલોદ હોસ્પિટલ તેમજ વરાછા ઝોન-બીમાં તેજાણી હોસ્પિટલ યુનિટ-2, યોગી ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ, શિવાલિક પ્રસૂતિગૃહ એન્ડ જનરલ હોસ્પિટલ, સ્વરા જનરલ એન્ડ પ્રસૂતિગૃહ અને નોર્થ ઝોનની જીવનદીપ હોસ્પિટલ, નમ્રતા નર્સિંગ હોમ, પૂજા હોસ્પિટલ, શિવાય હોસ્પિટલ અને આનંદ હોસ્પિટલને નોટિસ ( notice) ફટકારાઇ હતી.

હોસ્પિટલમાં બનતી આગની ઘટનાને લઇને ફાયર વિભાગ દ્વારા ઉધનાની ઉધના હોસ્પિટલમાં બીજા માળે આઇસીયુ વિભાગમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં 3 દર્દીને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. આવી દુર્ઘટના સમયે હોસ્પિટલનો સ્ટાફ કેટલો સતર્ક છે તે પણ ચકાસવામાં આવ્યું હતું. આવી ઘટના સમયે કયા પ્રકારની કામગીરી કરવી તે અંગે હોસ્પિટલના 30 વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ફાયરના અધિકારીઓ, જીઇબીની ટીમ, શહેર વિકાર અધિકારી, પોલીસ વિભાગની ટીમ હાજર રહી હતી.

આ બંને ઘટના બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટે પુનરાવૃત્તિને અટકાવવા માટેની વ્યૂહરચના ઘડી હતી. “આગ કેવી રીતે લાગી, બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવી, કઈ બાબતોની જરૂરિયાત છે, અને દર્દીઓ અને ડોકટરોના જીવ બચાવવા કઈ બાબતો પર વિચાર કરવો જોઇએ તે સમજવા માટે અમે અમારી ટીમ ભરૂચ મોકલી હતી. અમે હાલમાં જ સુરત શહેરની આયુષ હોસ્પિટલમાં પણ આગની ઘટના નિહાળી છે. હવે, અમે હોસ્પિટલોના જૂથની નજીક અથવા ચોવીસ કલાકની આસપાસ એક કિલોમીટરના અંતરે ફાયર એન્જિન અને કર્મચારીઓને જમાવવાનું નક્કી કર્યું છે. રાત્રે આગ ફાટી નીકળવાની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદની ખાતરી કરવા માટે આ છે. એસએમસીના ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે અમે એ પણ યોજના બનાવી છે કે દરરોજ રાત્રે બે ફાયર એન્જિનો અધિકારીઓ સાથે, ખાસ કરીને કોવિડ હોસ્પિટલોનું ક્લસ્ટર ધરાવતા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. ફાયર અધિકારીઓએ યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં મોકડ્રીલ પણ કરી હતી.

Most Popular

To Top