Charchapatra

કહ્યામાં નથી……!? લેણદારોથી છટકવાની એક વધુ છટક બારી

મારા એક મિત્રના પિતા શેરદલાલ હતા.અને ગુજરી ગયા ત્યારે બારેક હજાર નુ દેવું તેમના માથે હતું. મારા મિત્રે બીજા ત્રણ ભાઇના સહકાર થી આ દેવું ધીમે ધીમે  ચૂકતે કરી દીધું હતું. અને પિતાની સમાજમાં આબરૂ જળવાઈ રહી. આ એજમાનાની વાત છે જયારે આ રકમ બહુ મોટી  કહી શકાય. કોઈ પણ ધંધામાં પિતા પુત્રની સંયુક્ત ભાગીદારી હોય છે.અને લોકો વેપાર જગતની આ નૈતિક માન્યતાને માનીને બધો વ્યવહાર કરતા રહે છે. મારોપુત્ર  ફલાણો મારા કહ્યામાં નથી અને તેની સાથે લોકો એ  કરેલા આર્થિક વહેવાર કે ધંધાકીય બાબતો અંગે હું જવાબદાર નથી.એ મારી સાથે રહેતો પણ નથી , વગેરે.  આમા નવાઇનીવાત એ છેકે હવે તો પુત્રીના નામ પણ ફોટા સાથે જાહેરાતમા  આવવા માંડયા છે.

હદ તો ત્યારે થાયછે કે લોકો એટલે  કે લેણદારોથી બચવા આ કે તે વકીલ મારફત આવી જાહેરાતો કરવામાં આવે છે. હકીકતમાં આવા નિવેદનોને કાયદાકીય કોઈ પીઠબળ નથી  .લેણદારોને ડરાવવા માટે જ આ બધું કરવામાં આવે છે. ધંધામા મોટું દેવું થઇ ગયા પછી પિતા  પુત્રે પોતાની શાખ જાળવી રાખવા ધીમે ધીમે એ ચૂકવી દેવાનુ હોય , આ એક વેપારમાં નૈતિક આચાર સંહિતા છે.ધંધો સારો ચાલતો હોય ત્યારે પુત્ર કહ્યામાં અને નબળો પડે એટલે બધું એના પર ઢોળી દઇ હાથ ઉંચા કરી દેનાર પિતાને આ લેણદારો પુરાવા એકઠા  કરીને કોર્ટનો દરવાજે નહિ  ઘસડી જાય તો વિશ્વાસઘાતનો નવો પ્રકાર કાયમી ધોરણે વેપાર જગતમાં અડ્ડો જમાવશે એમા બેમત નથી.
સુરત     – પ્રભાકર ધોળકીયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top