Gujarat

રાજ્યમાં 34 જિલ્લા અને મનપામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહાનગરપાલિકા સહિત 34 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તો વળી બીજી બાજુ નવા વધુ 15 કેસ અન્ય જુદા જુદા જિલ્લાઓમાં નોંધાયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા 15 કેસમાં વડોદરામાં મનપામાં 4, સુરત મનપામાં 3, અમદાવાદ મનપા, રાજકોટ ગ્રામ્ય, કચ્છમાં 2-2, જ્યારે સુરત, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. સાથે જ આજે કોરોનાના વધુ 16 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,15,246 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં હાલમાં કોરોનાના 142 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે એકટિવ કેસની સંખ્યાં 148 છે, તેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,54,529 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,86,23,043 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top