સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે. માતા બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સુઈ ગઈ હતી. માલગાડી ત્રણેય પરથી પસાર થતા માતા કપાઈ ગઈ હતી. તેણીનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નિપજ્યું છે, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલા પોતાનાં બે બાળકો સાથે આજે તા. 12 ઓગસ્ટની બપોરે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી ગઈ હતી અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેન અડફેટે આવતાં મહિલા કપાઈ ગઈ હતી અને અને તેનું ઘટનાસ્થળે જ કામકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે તેનાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં.
આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જોઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.