ઓલપાડના મોરથાણ ગામે હળપતિવાસમાં રહેતા ભીખાભાઇ રાઠોડના ઘરે સોમવારે કોઈક કારણસર શોર્ટસર્કિટ થતાં ઘરમાં આગ લગતાં ઘરમાં રાખેલી અનાજ અને ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. આ અંગે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય અને કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલને માહિતી મળતા તેમણે એમના પ્રતિનિધિ તરીકે વનરાજસિંહ બારડ અને પીએ.અશોક પટેલ મોરથાણ ગામે ઘટના સ્થળે મોકલી આપ્યા હતા પ્રતિનિધિઓએ આગથી બળી ગયેલા ઘરનું નિરીક્ષણ કરી આગની દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારજનોને સાંત્વના પાઠવી એમને ઘરવખરીની કીટની સહાય અર્પણ કરી સરકારના નીતિ નિયમ મુજબ સહાય આપવાની ખાતરી આપી હતી.
મોરથાણ ગામના હળપતિવાસના મકાનમાં આગ લાગી: ઘરવખરી બળીને ખાક
By
Posted on