World

PM મોદીએ બ્રિટિશ PMને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું

પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરને ઉગ્રવાદી વિચારધારા ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવા અપીલ કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન સાથેની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે લોકશાહી અને સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને લોકશાહીને નબળી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

સમાચાર એજન્સી ANI અનુસાર મોદીએ કહ્યું હતું કે સ્વતંત્રતાના નામે લોકશાહીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને જવાબદાર ઠેરવવા જરૂરી છે. પીએમ મોદીએ આ વાત એવા સમયે કહી હતી જ્યારે બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોનો પ્રભાવ વધી રહ્યો છે.

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે – પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ અમે વડા પ્રધાન સ્ટાર્મર અને તેમની સરકારના આભારી છીએ. આતંકવાદ સામેની લડાઈમાં કોઈપણ પ્રકારના બેવડા ધોરણો માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે બ્રિટને ભારતમાંથી ભાગી ગયેલા આર્થિક ગુનેગારોને પાછા લાવવા માટે સહયોગ કરવો જોઈએ.

Most Popular

To Top