National

1971માં પાકિસ્તાન સામે લડનારા શેખ અબ્દુલ કરીમ આજે રિક્ષા ચલાવવા બન્યા મજબૂર

એક સમયે દેશ માટે લડનારા શેખ અબ્દુલ કરીમ ( SETH ABDUL KARIM) હવે પોતાનું અસ્તિત્વ બચાવવા લડત આપી રહ્યા છે. છાતી પર મેડલ છે પણ ખિસ્સા ખાલી છે. દેશની રક્ષા કરવા માટે હાથમાં હથિયારો લેનારા અબ્દુલ કરીમ હવે જીવન ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવે છે. શેખ અબ્દુલ કરીમ હાલ 71 વર્ષના છે. તેમણે 1971 ના ભારત-પાક યુદ્ધમાં ભાગ લીધો હતો. ત્યારે તેમની પોસ્ટિંગ લાહોર બોર્ડર (LAHOR BORDER) પર હતી. આ તે જ વિસ્તાર છે જ્યાં 1965 માં પાકિસ્તાને ( PAKISTAN) ભારતના 10 થી 15 કિલોમીટરના ક્ષેત્ર પર કબજો કર્યો હતો અને આ વિસ્તારમાં હવાલદાર અબ્દુલ હમીદે અનેક પાકિસ્તાની ટેન્કોનો નાશ કર્યો હતો. આ ક્ષેત્રમાં 1971 ના યુદ્ધ દરમિયાન ભારતે જબરદસ્ત પરાક્રમ બતાવ્યુ હતું.

ત્યારબાદ ભારતીય સેનાએ કેટલાક કિલોમીટર સુધી પાકિસ્તાનના પ્રદેશમાં ઘૂસીને કાર્યવાહી કરી હતી. તે સમયે, શેખ અબ્દુલ કરીમ ઓઆરએ ઓપરેટર તરીકે આગળના મોરચે હાજર હતા. તેમને 1971 ના યુદ્ધમાં વિશેષ સેવા એવોર્ડ ઉપરાંત આર્મી મેડલ (AARMY MEDAL) પણ મળ્યો હતો, જેના પર તેનું નામ લખેલું છે. તેમણે ઘણા લશ્કરી અધિકારીઓને તાલીમ આપી હતી. શેખ અબ્દુલ કરીમના પિતા શેખ ફરીદ પણ સેનામાં હતા, આ જ પરંપરાને આગળ ધરીને કરીમ માત્ર 14 વર્ષની વયે 1964 માં બોયઝ આર્મીમાં જોડાયા હતા . બેંગલુરુમાં ત્રણ વર્ષની તાલીમ લીધા પછી કરિમની ગોલ્કોન્ડા આર્ટિલરીમાં ગનર તરીકે પોસ્ટિંગ થઈ હતી. સિકંદરાબાદમાં પોસ્ટ કર્યા બાદ કરીમને ફિરોઝપુર બોર્ડર ( FIROZPUR BORDER) પર મોકલવામાં આવ્યા હતા.

કરિમે 1971 ના યુદ્ધ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. શેખ અબ્દુલ કરીમને તેલંગાણા રાજ્યના ગોપાલી વિસ્તારમાં 5 એકર જમીન આપવામાં આવી હતી. આ જમીન થોડા સમય માટે તેના નિયંત્રણ હેઠળ રહી પરંતુ પછીથી તે અન્ય લોકોએ કબજે કરી લીધી હતી. શેઠ અબ્દુલ કરીમે સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી, જેના આધારે તેમને સમાન સર્વે નંબર પર પાંચ એકર વધુ જમીન આપવામાં આવી હતી, પરંતુ આ જમીનના દસ્તાવેજો હજી તૈયાર નથી.

છ બાળકોના પિતા શેઠ અબ્દુલ કરીમને પેન્શન મળતું નથી. તે તેની પત્ની સાથે હૈદરાબાદના ચારમિનારથી પાંચ કિલોમીટર દૂર ફિશ બિલ્ડિંગ પીલર નંબર 244 નજીક એક નાના ભાડાના રૂમમાં રહે છે. ઉંમરના આ તબક્કે પણ ઓટો રિક્ષા ચલાવવી ઘરનો ખર્ચ કાઢે છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન તેની આર્થિક સ્થિતિ વધુ કથળી હતી. શેખ અબ્દુલ કરીમના જણાવ્યા અનુસાર, જ્યારે તેની સમસ્યા સૈન્ય સુધી પહોંચી ત્યારે તેમને ઉપ-ક્ષેત્ર હૈદરાબાદના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીનો ફોન આવ્યો અને તેમને ઓફિસમાં બોલાવ્યા હતા.

કરીમે ભૂતપૂર્વ સૈનિકોની મદદ માટે નક્કર વ્યવસ્થા કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિનંતી કરી છે. તેમણે તેલંગણા સરકારને મકાનો પૂરા પાડવા વિનંતી પણ કરી છે. તેલંગાણા સરકારે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આવાસ આપવાની યોજના શરૂ કરી છે. જો કે, શેખ અબ્દુલ કરીમ સંપૂર્ણ જુસ્સા સાથે જીવનની લડાઈ લડી રહ્યા છે. 71 વર્ષની ઉંમરે પણ તે સખત મહેનત કરી રહ્યા છે. તેમનો આત્મવિશ્વાસ ઓછો થયો નથી. તેની પાસે વધુ એક પ્રતિભા છે અને તે છે શાયરી કરવી. તેઓ ફિરોઝ હૈદરાબાદીના ઉપનામ સાથે લખે છે. કરીમ કહે છે કે તેમને સેના અને સરકાર પર પૂરો વિશ્વાસ છે અને ટૂંક સમયમાં તેમની સમસ્યાઓ દૂર થઈ જશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top