Dakshin Gujarat

દહેજના નિયોજેન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગી, પ્લાન્ટ અને વેરહાઉસ બળીને રાખ થયા

ભરૂચઃ ઔદ્યોગિક નગરી દેહજ સેઝ-2માં મંગળવારે મોડી રાત્રે નિયોજેન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પ્લાન્ટ અને વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આગની બીજી ઘટના બની છે.

  • 16 ફાયર બ્રિગેડની ટીમોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
  • અકસ્માત સમયે રાત્રે કંપનીમાં કામ કરતા તમામ 128 કામદારો સુરક્ષિત
  • DISHએ આગના કારણની તપાસ આદરી

મંગળવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે દહેજ સેઝ-2માં સ્થિત નિયોજેન કેમિકલ્સના 3-મિથાઈલફોસ્ફિનિકો-પ્રોપિયોનિક એસિડના MPP-3 પ્લાન્ટમાં અચાનક આગ લાગી ગઈ.પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડને કારણે, આગ થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી ગઈ. ભીષણ આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હોવાથી ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું.

ભીષણ આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો દહેજની અન્ય કંપનીઓના ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. દહેજ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ઔદ્યોગિક ફાયર સેફ્ટી અને હેલ્થ ટીમ પણ આગગ્રસ્ત કંપનીમાં દોડી ગઈ હતી.નિયોજેન કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારો અને નજીકના ગામોમાં ભયભીત બની ગયા હતા.

આ ભીષણ આગ કંપનીના MPP 3 પ્લાન્ટ અને વેરહાઉસને પોતાની લપેટમાં લઈ ગઈ હતી. જિલ્લાના 16 ફાયર વાહનો દ્વારા 5 થી 5:30 કલાકની મહેનત બાદ બુધવારે સવારે આગ પર કાબુ લીધો હતો.

ભરૂચ સ્થિત ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક મંડળના અધિકારી આશુતોષ મેરેયાએ જણાવ્યું હતું કે, આગ લાગી ત્યારે 128 કર્મચારીઓ ફરજ પર હતા. તે બધા કંપનીમાંથી સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. કોઈપણ કર્મચારી કે વ્યક્તિને કોઈ ઈજા કે અન્ય અકસ્માત થયો નથી. હાલમાં, DISH ટીમ આગના કારણની તપાસમાં જોડાઈ છે.

Most Popular

To Top