National

મહારાષ્ટ્રના થાણેમાં મોટો અકસ્માતઃ ટ્રેનના દરવાજા પર ઉભેલા મુસાફરો ટ્રેક પર પટકાયા, 4ના મોત

મહારાષ્ટ્રના કલ્યાણમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. આજે સોમવારે તા. 9 જૂનના રોજ કલ્યાણ જંકશન પર પુષ્પક એક્સપ્રેસમાંથી પાંચ મુસાફરો પડી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રેન કલ્યાણ જંકશન પર ઉભી રહી ત્યારે ઓફિસ જનારા લોકો તેમાં ચઢવા માટે દોડી ગયા હતા. આ દરમિયાન ભારે ભીડ અને ધક્કામુક્કીને કારણે આ અકસ્માત થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો તેમની ઓફિસ પહોંચવા માટે દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. આ બધા આ ટ્રેનમાં ચઢે છે અને છત્રપતિ શિવાજી ટર્મિનલ (CST) તરફ જાય છે. સોમવારે ઓફિસ સમય દરમિયાન ટ્રેનમાં ચઢવા માટે ખૂબ જ ધસારો થયો હશે અને પછી ધક્કામુક્કી થઈ, જેના કારણે આ અકસ્માત થયો.

મધ્ય રેલવેના પ્રવક્તા સ્વપ્નિલ નીલાએ માહિતી આપી છે કે આ લોકો દરવાજા પર લટકતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં 8 લોકો સામેલ હતા. એક મુસાફરે જણાવ્યું હતું કે પુષ્પક એક્સપ્રેસ બાજુના ટ્રેક પર હતી. બેગ સાથે અથડાયા બાદ લોકો બે ટ્રેનો વચ્ચે પડી ગયા હતા. કુલ 8 લોકો ટ્રેક પર પડી ગયા હતા, જેમાંથી પાંચના મોત થયા છે.

મધ્ય રેલવેના પ્રવક્તા સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે અકસ્માત સવારે 9:30 વાગ્યે થયો હતો અને એમ્બ્યુલન્સ સવારે 9:50 વાગ્યે આવી હતી. તેમને સારવાર માટે કલવાના છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત મુમ્બ્રા અને દિવા સ્ટેશન વચ્ચે થયો હતો.

રેલવે પોલીસ અને વહીવટીતંત્ર તપાસમાં વ્યસ્ત છે
સંજય વાઘુલે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર યાસીન તડવી, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શ્રી માલગાંવકર ઘટનાસ્થળે હાજર છે અને કાલવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર છે. આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલના ડોકટરોની ટીમ યુદ્ધના ધોરણે દરેકની સારવાર કરી રહી છે.

સત્તાવાર માહિતી આપતાં, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, આજે 09/06/2025 ના રોજ સવારે 09:20 વાગ્યે મુમ્બ્રા રેલ્વે સ્ટેશન નજીક કસારાથી CSMT જતી એક ઝડપી લોકલ ટ્રેન (08:19) માંથી લગભગ 10 મુસાફરો પડી ગયા હતા. રેલ્વે વહીવટીતંત્ર દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top