National

ઉદ્ધવને રીઝવવાનો પ્રયાસ? ભાજપે કહ્યું- તેમણે ચૂંટણીમાં ખૂબ મહેનત કરી પરંતુ ફાયદો કોંગ્રેસ-શરદ પવારને

ભાજપ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને ઉદ્ધવ ઠાકરેની ચૂંટણીલક્ષી મહેનતના વખાણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય દ્રષ્ટિએ આ ઉદ્ધવ ઠાકરેને તેમની છાવણીમાં સામેલ કરવાનો સંકેત પણ હોઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે વિશે બીજેપી નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સખત મહેનત કરી હોવા છતાં એવું લાગે છે કે તેમના પોતાના પક્ષ કરતાં સાથી પક્ષો કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીને વધુ ફાયદો થયો છે.

બીજેપી નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCPSPને તેમની પોતાની પાર્ટી કરતાં વધુ ફાયદો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ઠાકરે ભાજપ સાથે હતા ત્યારે તેમની પાર્ટીએ 18 લોકસભા બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને NCPSP સાથે મળીને તેઓ માત્ર નવ બેઠકો જીતી શક્યા. તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ઠાકરે પર કટાક્ષ કરતા પાટીલે કહ્યું કે લઘુમતી મતોના કારણે ઠાકરેને જીતનો ટેગ મળ્યો છે. મનસેના એક નેતાનું કહેવું છે કે ઉદ્ધવની જીતનો રંગ કેસરી નહીં પણ લીલો છે.

તેમની તબિયત સારી નહોતી છતા પ્રચાર કર્યો
મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે એક કાર્યક્રમમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી ન હતી પરંતુ તેમ છતાં તેમણે જોરશોરથી પ્રચાર કર્યો. હું તેઓના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતો. જો કે પરિણામો દર્શાવે છે કે તેમના પ્રયાસોથી NCPSP અને કોંગ્રેસને તેમની પાર્ટી કરતાં વધુ ફાયદો થયો.

જણાવી દઈએ કે ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર નવ જ જીતી હતી. જ્યારે કોંગ્રેસે 17 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 13 પર જીત મેળવી હતી. કોંગ્રેસના નેતા અને સાંગલી લોકસભા બેઠક પરથી બળવાખોર ઉમેદવાર પણ જીત્યા અને બાદમાં પાર્ટીને સમર્થન આપ્યું. NCP (શરદચંદ્ર પવાર)એ 10 બેઠકો પર ચૂંટણી લડી અને આઠ બેઠકો જીતી હતી.

Most Popular

To Top