National

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે બસ સેવા બંધ કરવામાં આવી, જાણો શું છે કારણ

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે. દરમિયાન, કર્ણાટક (KARNATAKA) માર્ગ પરિવહન નિગમ દ્વારા અસ્થાયીરૂપે કોલ્હાપુર થઈને જતી બસનું સંચાલન અટકાવ્યું હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કન્નડભાષી લોકો રહે છે. આ મામલે માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રના કેટલાક નેતાઓ મરાઠી ભાષી વિસ્તારોને મર્જર કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે કન્નડ તરફી સંગઠનો તેનો સખત વિરોધ કરી રહ્યા છે.

ઉત્તર પશ્ચિમ કર્ણાટક માર્ગ પરિવહન નિગમએ એક અધિકારીએ જણાવ્યું કે, બેલગામમાં મહારાષ્ટ્રની એક ગાડી પર કાળોરંગ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ વિવાદ વધુ ગાઢ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે કોલ્હાપુરમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને બસો નહીં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, પરિસ્થિતિ સામાન્ય થયા પછી બસ સેવા પુનઃ ચાલુ કરવામાં આવશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રના લોકો પર હુમલો કરવો નિંદાકારક છે અને કમિટીને વહેલી તકે તપાસ માટે અધિકારીઓને મોકલવી જોઇએ. આ વિષય પર વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, “બેલગામ ભારતનો એક ભાગ છે અને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ભાષાકીય વિવાદ થયો છે.” તેમણે કહ્યું કે આ મામલાને વધારે ખેચવું ન જોઇએ અને કર્ણાટક સરકારે પણ તેની જવાબદારી લેવી જોઈએ.

શિવસેના ( SHIVSENA) એ કન્નડ સંગઠનો પર ગંભીર આક્ષેપો કર્યા છે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ( UDHAV THAKRE) પણ સમયાંતરે આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. શિવસેનાનો પણ આરોપ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કન્નડ સંગઠનો દ્વારા તેના નેતાઓ અને બેલગામમાં પાર્ટી કાર્યાલય પર હુમલાની ઘટનાઓ બની રહી છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ મામલે તુરંત કાર્યવાહી કરવા અપીલ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top