Gujarat

પીએમ મોદીના જન્મદિને ગુજરાતના 7100 રામજી મંદિરે સાંજે 7 વાગ્યે મહાઆરતી કરાશે : સી.આર. પાટીલ

પ્રદેશ ભાજપની કેવડિયા ખાતે આજથી શરૂ થયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીની સરકારની કામગીરીને બીરદાવતો રાજકીય ઠરાવ પસાર કરાયો છે. બેઠકમા સંબોધન કરતાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તમામ 182 બેઠકો મળશે તેવો મને મારા કાર્યકરો પર વિશ્વાસ છે.

પાટીલે વધુમાં આગામી તા.17મી સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના કાર્યક્રમનો જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને 17મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં 1700 જેટલા રામજી મિદર સહિતના મંદિરોમાં સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવાના કાર્યક્રમ ઘડી નાંખવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પાર્ટી લડશે.આ માટે પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવશે. રાજકીય ઠરાવમાં પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા મોદી અને રૂપાણી સરકારની સિદ્ધીઓનો ઉલ્લેખ કરીને તેને બિરદાવી હતી.

Most Popular

To Top