Comments

લોકસભા ચૂંટણી બાદ ભાજપ-આરએસએસ ફરીથી સમાધાનના માર્ગ પર?

‘ડબલ એન્જિન કી સરકાર’ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિય ટેગલાઇન્સમાંની એક છે, ખાસ કરીને જ્યારે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હોય. 2014ની ચૂંટણી બાદ પ્રારંભિક સફળતા પછી આ ટેગલાઇને તેની ચમક ગુમાવી હોય તેવું લાગતું હતું અને તે સાબિત કરવા માટે ઘણા ઉદાહરણો છે. ભાજપ ચાર દાયકાથી વધુ સમયથી અસ્તિત્વમાં છે ત્યારથી વધુ એક ‘ડબલ એન્જિન’ વ્યવસ્થા છે જે અસરકારક રીતે કામ કરી રહી છે. આરએસએસે તેની રાજકીય શાખા ભાજપને ગ્રાઉન્ડ સપોર્ટ અને નૈતિક સમર્થન અને એજન્ડા પૂરા પાડ્યા છે. અટલ બિહારી વાજપેયીના ઊંચા કદ અને તુલનાત્મક ઉદારવાદી છબી હોવા છતાં, વાજપેયી-અડવાણી યુગ દરમિયાન આ વ્યવસ્થા અડચણો વિના કામ કરતી હતી. એ બીજી વાત છે કે રાજનીતિની કળાના માસ્ટર વાજપેયી હંમેશા નાગપુરમાં આવેલા આરએસએસ મુખ્યાલયમાં કોઈ પણ પદનો અહંકાર લીધા વગર અવારનવાર જતા હતા.

જેમજેમ ભાજપે મોદીના આશ્રય હેઠળ સંપૂર્ણ પરિવર્તન કર્યું, જેમાં આરએસએસ દ્વારા સ્થાપિત કરાયેલા તેના મૂળ સિદ્ધાંતોને ‘કોલ્ડ સ્ટોરેજ’માં મૂકવાનો સમાવેશ થાય છે, રાજકારણની કળાને મોદી-અમિત શાહના સૈદ્ધાંતિક સ્વરૂપમાં આગળ ધપાવવા માટે, સ્વાભાવિક રીતે આરએસએસ કોરિડોરમાં જ આંચકો અનુભવાયો. જો કે તે સંઘની ‘મૂલ્ય પ્રણાલી’ ને છોડી દેવા છતાં તેના કેટલાક વૈચારિક પાટિયાઓને જોરશોરથી અનુસરી રહ્યા છે. આ ‘ડબલ એન્જીન’ ભલે ટ્રેક પર હોય પરંતુ તે ઉબડખાબડ મુસાફરીનો સામનો કરી રહ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા પ્રત્યક્ષ કે આડકતરી રીતે ભાજપ-આરએસએસ ગઠબંધન સંબંધિત શ્રેણીબદ્ધ ઘટનાક્રમો દ્વારા આ બાબત બહાર આવી શકે છે.

તે બધાની શરૂઆત ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાના આશ્ચર્યજનક નિવેદનથી થઈ હતી, ચૂંટણીઓ વચ્ચે, તેમણે એમ કહ્યું હતું કે પાર્ટી હવે સંઘની મદદ વિના કામ કરવાની સ્થિતિમાં છે. તેનાથી આરએસએસ વર્તુળોમાં વધુ ખળભળાટ મચી ગયો હોવો જોઈએ અને ચોક્કસપણે ભાજપમાં પણ મૌનનું કારણ બન્યું હશે.શું આરએસએસ સાથે ભાજપનો સંબંધ ફરીથી વ્યાખ્યા કરવાના માર્ગ પર છે? આ પ્રશ્ન, તે સમયે આરએસએસને પરેશાન કર્યો હતો અને સંઘે તેમની લાગણીઓને બહાર કાઢવાની હિંમત કર્યા વિના ભાજપના આંતરિક વર્તુળોને મૂંઝવણમાં મૂક્યા હતા. દેખીતી રીતે, તે મોદીના પરિપ્રેક્ષ્યમાં સર્વોચ્ચતા માટેની લડાઈને પ્રતિબિંબિત કરે છે કારણ કે નડ્ડાનું નિવેદન આરએસએસ માટે ખુલ્લો પડકાર હોવાનું માનવામાં આવતું હતું, જે 2014 પહેલા ભાજપમાં કોઈએ આવું કરવાની હિંમત કરી ન હતી.

2024ની લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ સંદર્ભમાં એક વિશાળ પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતું. મોદીનું ‘અબ કી બાર 400 પાર’નું સપનું ધૂંધળું થઈ રહ્યું છે અને ભાજપ એનડીએ-03ના શાસનને ટકાવી રાખવા માટે સાથી પક્ષો પર ભારે નિર્ભર છે કારણ કે તે એકલા હાથે સામાન્ય બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું, ત્યારે આરએસએસ તેમની સામે થવા માટે તૈયારી કરીર રહ્યું છે તે સ્વભાવિક છે. વાસ્તવમાં, આ કવાયત ચૂંટણી પહેલા શરૂ થઈ ગઈ હતી, અને કેટલાકને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનું નીચું ચૂંટણી પ્રદર્શન, જેના કારણે પક્ષને બહુમતી મળી ન હતી તે તેનું પરિણામ હતું.

પાર્ટીના અધ્યક્ષ નડ્ડાના બોસે તેમને કેન્દ્રીય મંત્રી બનાવીને પહેલેથી જ તેમને બઢતી આપી છે. ભાજપની પિતૃસંસ્થાને લગતા તેમના વિવાદાસ્પદ નિવેદન માટે તેમને દંડ કરવા માટે આરએસએસના કોઈ પણ દબાણને નિષ્ફળ બનાવવા માટે આ એક આગોતરી ચાલ છે, એક સંવેદનશીલ ભાજપ ‘સેફ્ટી વાલ્વ’ની શોધમાં લાગે છે. અને આરએસએસ સાથે સંબંધ સુધારવા કરતાં વધુ સારું શું છે? ‘ભાજપ, આરએસએસના ટોચના અધિકારીઓ પક્ષ-સંઘના સંબંધો પર વિચાર વિમર્શ કરી રહ્યા છે……….’ ‘આરએસએસ ભાજપનાં બોસ પસંદ કરવા આતુર છે, ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ પક્ષના નેતાઓ ‘જનક’ સાથે શાંતિ સ્થાપવા પ્રયાસ કરી રહ્યા છે.’

તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના આદેશ પર તેમના સત્તાવાર નિવાસસ્થાને આયોજિત આરએસએસ-ભાજપની ઉચ્ચ-સ્તરની બેઠક દરમિયાન દેખાતી આ બે હેડલાઇન્સ સ્વયં-સ્પષ્ટ છે. વાસ્તવમાં, આ એ હકીકતનો સ્પષ્ટ સ્વીકાર અને સમર્થન છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે બધું બરાબર નથી. આરએસએસ અને ભાજપ વચ્ચે તિરાડ છે અને સંકટને પહોંચી વળવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે, સિંહ આરએસએસ-ભાજપના અંતરને દૂર કરવાના પ્રયાસોની ધરી બની રહ્યા છે અને ઉચ્ચ સ્તરીય બેઠકના સ્થળ તરીકે તેમના સત્તાવાર નિવાસસ્થાનની પસંદગી એ એપિસોડને વધુ રસપ્રદ બનાવે છે.

શા માટે મોદી પોતે અથવા તેમના નજીકના વિશ્વાસુ અમિત શાહ આ કવાયતમાં સંપૂર્ણપણે સામેલ નથી? જૂના જમાનામાં વાજપેયી પોતે અથવા તેમના નંબર બે અડવાણી આવી કોઈપણ પરિસ્થિતિના ઘટનાક્રમના કિસ્સામાં સીધા પગલાં લેતા હતા. શું તે સૂચવે છે કે આરએસએસનું નેતૃત્વ મોદી અથવા શાહ સાથે વાત કરવા કરતાં ‘મિસ્ટર ડિપેન્ડેબલ’ રાજનાથ સિંહ સાથે વાત કરવાનું પસંદ કરે છે? તેનાથી વિપરિત, શું તે એ હકીકતને વ્યક્ત કરે છે કે, કદાચ, મોદી-શાહે સંયુક્ત રીતે વિચાર્યું કે નડ્ડાના નિવેદન બાદના મુદ્દાઓ ઉકેલવા માટે આરએસએસ સાથે સંરક્ષણ પ્રધાનના સારા સંબંધોનો કરવાનું વધુ સમજદારીભર્યું છે. આ આરએસએસ સાથે ભાજપના નવા સંબંધની વ્યાખ્યા કરે છે.

સરવાળો એ છે કે ભાજપના ટોચના નેતાઓએ આરએસએસને શાંત કરવા અને તેની સાથે સંબંધ સુધારવા માટે નક્કર પ્રયાસો શરૂ કર્યા છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણીનો આગામી પડકાર ઝડપથી નજીક આવી રહ્યો છે.

ભાજપના અધ્યક્ષ તરીકે નડ્ડાનું સ્થાન કોણ લેશે? આ એક રસપ્રદ પ્રશ્ન છે જે 2024ની લોકસભા ચૂંટણી પછીના બદલાયેલા સંજોગોમાં મહત્ત્વપૂર્ણ બની ગયો છે. એ હકીકતને કોણ નકારી શકે કે તેઓ મોદી-શાહની જોડીના કઠપૂતળી રહ્યા છે. આ ક્ષણે કાલ્પનિક હોવા છતાં, આ હકીકતને નકારી શકાય તેમ નથી, કે તેઓ નડ્ડા પાસેથી પદ લેવા માટે તેમની સમાન વ્યક્તિને જ પસંદ કરશે જે વધુ જાણીતી ન હોય અને જેનું કદ મોટું ન હોય. શું આ સંજોગોમાં તે શક્ય બનશે?

આરએસએસ માટે આ સમય છે કે તેઓ પ્રહાર કરે અને ભાજપનું નેતૃત્વ કરવા માટે પોતાની પસંદગીના વ્યક્તિને પસંદ કરે. સૌહાર્દ હાંસલ કરવાના માર્ગ પર આરએસએસ અને ભાજપ બંને માટે આ એક મોટી સોદાબાજી હશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું મોદી આરએસએસની પસંદગી સ્વીકારે છે અથવા તેમની હવે જાણીતી શૈલીમાં તેમની શક્તિ દર્શાવે છે. 2014થી 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ સુધી પરામર્શ એ અજાણ્યો શબ્દ હતો.

પાર્ટીના અધ્યક્ષ તરીકે નડ્ડાની બઢતી એ બે ટોચના નેતાઓનું મનસ્વી કૃત્ય હતું જે આરએસએસ સાથે અથવા ભાજપની અંદર જ કોઈ પરામર્શ કર્યા વિના કરવામાં આવ્યું હતું. એવું સાંભળવામાં આવ્યું છે કે રાજનાથ સિંહના ઘરે યોજાયેલી ભાજપ-આરએસએસની બેઠકના એજન્ડામાં ટોચ પર નવા અધ્યક્ષની પસંદગી હતી. આદર્શ રીતે, તેઓ એનડીએ-03 સરકારની સ્થિરતા પર નજર રાખીને તેમની સાથે મુકાબલો કરવાને બદલે આરએસએસના ઉચ્ચ અધિકારીઓ સાથે શાંતિ સ્થાપવાનું પસંદ કરશે. એક તરફ આરએસેસ અને બીજી તરફ ટીડીપી અને જનતા દળ(યુ) જેવા સાથી પક્ષો સાથે, ઉપરાંત મોદીને ઘેરવા માટે ફરીથી જીવીત થયેલા ઉત્સાહિત વિપક્ષ સાથે એમ મોદી માટે બે મોરચા પર યુદ્ધ પરવડી શકે તેમ નથી.

આરએસએસ તેના સહયોગી સંગઠનો દ્વારા મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર નિશાનો બનાવી રહ્યું છે. તાજેતરમાં જ આવા એક સંગઠને NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના એક મુખ-પત્રએ સંપાદકીય ટીકા બહાર પાડી હતી. અગાઉ, આરએસએસના વડા ડો. મોહન ભાગવતે અવલોકન કર્યું હતું કે ‘સાચા સેવક’માં ‘અહંકાર’ હોતો નથી અને ભાજપ દ્વારા જે રીતે એક જ વ્યક્તિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી લડવામાં આવી હતી તેની ટીકા કરી હતી. સ્પષ્ટ સંદર્ભ મોદીની કાર્યશૈલીનો હતો. બાદમાં આરએસએસના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે કથિત રીતે કહ્યું હતું કે, ‘જે લોકો ભગવાન રામની પૂજા કરતા હતા પરંતુ અહંકારી બન્યા હતા તેમને 241 પર રોકી દેવામાં આવ્યા હતા.’ ભાજપે 240 લોકસભા બેઠકો જીતી તેનો સ્પષ્ટ સંદર્ભ હતો. અહીંથી આરએસએસ-ભાજપ સંબંધો કેવી રીતે આગળ વધશે? આગળનો સમય રસપ્રદ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top