Vadodara

લહેરીપુરા દરવાજા પાસે સિટી બસની ટકકરે રાહદારી વૃદ્ધનું મોત

વડોદરા : વડોદરાના લહેરીપુરા દરવાજા પાસે ગુરુવારે સવારે સિટિબસની અડફેટે 76 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી બસ ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.બનાવને પગલે રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસેસજી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથધરી હતી.

મદનઝાંપા રોડ પર આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્સ પાસે રહેતા 76 વર્ષીય નીતિનભાઈ પટેલ ગુરુવારે સવારે લહેરીપુરા દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી સિટીબસની ટક્કર વાગતાં તેઓ રોડ પર પટકાતા તેઓનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા સિટી બસનો ચાલક સ્થળ પરથી રવાના થઈ ગયો હતો.

બનાવની જાણ કરવામાં આવતા એસીપી મેઘા તેવાર સહિત રાવપુરા પોલીસ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસેસજી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથધરી હતી.

એસીપી મેઘા તેવારના કહ્યા પ્રમાણે આશ્ચર્યની વાત એ છે કે સિટીબસના ચાલકને સાંકડી જગ્યામાં દેખાયું ન હોઈ બસના પાછળના વ્હીલ સાથે ટક્કર વાગતાં તેઓનું મોત નીપજ્યું હતું.હાલ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top