અમદાવાદમાં આજે એક ચોંકાવનારી ઘટના બની. આજે 31મી ઓક્ટોબરે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે અહીં રાષ્ટ્રીય એકતા દિવસની...
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી બીજી ટી-20 મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત...
ભારતના યુવા ઇનોવેટર અને IIT-BHUના વિદ્યાર્થી સ્પર્શ અગ્રવાલે ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે “લુના” નામનું વિશ્વનું પ્રથમ ભાવનાત્મક Voice-to-Voice...
શહેરમાં હાલમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક વખત મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પ્રસંગે આજ રોજ તા. 31 ઑક્ટોબર શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી...
વડોદરામાં મકાન લેવાનું છે તેમ કહીને રૂપિયા 10 લાખની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાનો યુવતીના કાકાનો આક્ષેપ વડોદરા તારીખ 31મહારાષ્ટ્રના જલગાંવ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. તેમને અહીંથી વિદાય આપવામાં...
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન , મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા...
આજે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આજે સવારે...
પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી*——-લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય...
( પ્રતિનિધી )વડોદરા,તા.31 વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 જાંબુઆ બ્રિજ ઉપર બે આઇસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ગેસના બોટલ...
છેલ્લાં કેટલાંય સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ લાદેલા ગેરવ્યાજબી ટેરિફના લીધે બંને દેશોના સંબંધો બગડ્યા...
તમે જ્યારે તમારી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે કોઈ કોફી હાઉસમાં જાઓ છો ત્યારે તમે ટેસ્ટી કોફીની મજા કેક, પેસ્ટ્રી કે કોઈ ડિઝર્ટની...
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુરુવારે સોના અને ચાંદીના ભાવ સીમિત દાયરામાં વેપાર થયો. મલ્ટી કોમોડિટી...
આપણને ઘણી વખત પીપળ કે વડના ઝાડ નીચે રઝળતી હાલતમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ અને ફોટા જોવા મળતા હોય છે. સારા પ્રસંગો પર...
ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. 30 ઓક્ટોબર ગુરુવારના રોજ નવી...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAએ પોતાનો સંયુક્ત ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ પર ખાસ ધ્યાન આપવામાં...
વાયુ-પ્રદૂષણનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી મંગળવારે કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૩.૨૧ કરોડ...
છેલ્લા કેટલાક સમયમાં ઓનલાઇન ડિલીવરી, એપ આધારિત ટેક્સી વગેરે સેવાઓનો ખૂબ વિકાસ થયો છે. આ સેવાઓને કારણે આજના ઝડપી યુગમાં ઘણી રાહત...
ભગવાનના પરમ ભક્ત વૃદ્ધ બા. જીવન આખું હરિસેવા કરી અને સતત પ્રભુનું નામસ્મરણ. તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે સ્વયં યમરાજ પોતે તેમના...
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તા. 2 નવેમ્બરે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રમાશે. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા ટાઇટલ માટે ટક્કર...
સંસાધનો મર્યાદિત હોવાને કારણે એને ક્યાં અને કેવી રીતે વાપરવાં એ આર્થિક નીતિ ઘડતી વખતે હંમેશા એક પેચીદો પ્રશ્ન બની રહે છે....
આજના સમયની લોકશાહીમાં લોકોને દર પાંચ વર્ષે એક વાર મોકો આપવામાં આવે છે કે હવેનાં પાંચ વર્ષ તેમણે કોની ગુલામી કરવાની છે...
૩૧ ઓક્ટોબર એટલે સ્વતંત્ર સંગ્રામના લડવૈયા, દેશના પૂર્વ ગૃહપ્રધાન સરદાર પટેલ તેમને દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું હતું. એમનું શરીર લોખંડી નહીં પરંતુ...
રસ્તે તોપચી જેવા ગપ્પીદાસો બહુ મળે, કિન્તુ, સફેદ રંગની ગાંધીવાદી ટોપી અને ખાદીધારીઓ ગાયબ થયા છે. કપાસમાંથી બનેલું હાથવણાટનું કાપડ એટલે ખાદી ...
ભારતના દરેક પ્રદેશ દરેક રાજ્યમાંથી ત્યાંના રહેવાસીઓ સુરત રોજીરોટી માટે આવ્યા છે. ગામમાં લગ્ન હોય કે બીજા સામાજિક પ્રસંગ હોય વેકેશન હોય...
ગ્લોબલ વોર્મિંગ હાલ ચરમશીમાએ છે. આપણે ત્યાં સપ્ટેમ્બર મહિના પછી ચોમાસુ વિદાય થતુ હોય છે, પરંતુ હવે બદલાયેલી પેટેન્ટ પ્રમાણે દિવાળી પછી...
કુદરતની સામે જગતનો અન્નદાતા એવો ખેડૂત લાચાર બની રહ્યો છે. બિચારા ખેડૂતોને મોંએ આવેલો કોળીયો છીનવાઈ રહ્યો છે. અણધાર્યા વરસાદને પરિણામે ખેડૂતોની...
રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલી નવી બેઠક ફાળવણીમાં પછાત વર્ગનો દબદબો વધ્યો નવી ફાળવણી મુજબ હવે કુલ 54 અનામત બેઠકો, અનુસૂચિત જાતિ...
સાત દિવસમાં ન હટાવાય તો દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે વડોદરા શહેરમાં વીજ થાંભલાઓ પર કેબલ નેટવર્ક અને ઈન્ટરનેટ પ્રોવાઈડર જેવી સંસ્થાઓ દ્વારા...
રાહુલ ગાંધી રાજનીતિમાં ‘ચાલતા નથી’, માત્ર પદયાત્રા કાઢે છે: સાંસદ હેમાંગ જોષીનો પ્રહાર
”રાહુલ ગાંધી જોડાય તો કોંગ્રેસના કાર્યકરો સરદારની પ્રતિમા જોવાની ગુંગળામણમાંથી મુક્ત થાય.”


વડોદરાના લોકસભા સાંસદ અને ભાજપના નેતા ડો. હેમાંગ જોષીએ લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીને ‘સરદાર એકતા યાત્રા’ માં જોડાવા માટે આમંત્રણ આપતા રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. મીડિયામાં આ મુદ્દો ચર્ચામાં આવતા સાંસદ ડો. જોષીએ આ આમંત્રણ પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો હતો, સાથે જ કોંગ્રેસ નેતા પર આકરા રાજકીય પ્રહારો પણ કર્યા હતા.
સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી ચૂંટણીલક્ષી રાજનીતિ પદયાત્રા કાઢે છે, પણ રાજનીતિમાં ચાલતા નથી.” તેમણે રાહુલ ગાંધીની પદયાત્રાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તે માત્ર ચૂંટણીઓ પૂરતી જ મર્યાદિત હોય છે, જ્યારે સરદાર પટેલની વિરાસતનું સન્માન કરવામાં કોંગ્રેસે હંમેશા ઉદાસીનતા દાખવી છે.
ડો. જોષીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને યોગ્ય સન્માન કોંગ્રેસે આપ્યું નથી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાં સરદાર સાહેબની પ્રતિમા જોવાની પણ ‘અઘોષિત મનાઈ’ હોય તેવું વાતાવરણ છે.
સાંસદે રાહુલ ગાંધીને આમંત્રણ આપવા પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “જો રાહુલ ગાંધી આ પદયાત્રામાં જોડાય, તો કોંગ્રેસના લાખો કાર્યકરો સરદાર સાહેબની વિશાળ પ્રતિમા જોવાની ગુંગળામણ માંથી મુક્ત થાય.” સાંસદના આ નિવેદનને કોંગ્રેસ પક્ષમાં સરદાર પટેલના વિરાસત પ્રત્યેના વલણ સામેના સીધા પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસનો આક્રોશ: ‘પાનો ટૂંકો પડે, આયાતી સાંસદ છો’…
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘સરદાર એકતા યાત્રા’માં જોડાવા માટે પત્ર લખી આમંત્રણ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જોકે, કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે સાંસદ જોષીના આ પગલાને ‘હાઈકમાન્ડને ખુશ કરવાના ધતિંગ’ ગણાવીને આકરો પલટવાર કર્યો છે.
સાંસદ ડૉ. હેમાંગ જોષીએ રાહુલ ગાંધીને લખેલા પત્રના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “રાહુલ ગાંધીને પત્ર લખી આમંત્રણ આપવું એમાં તમારો પનો ટૂંકો પડે. હજી કેન્દ્રીય મંત્રી કે કેબિનેટ મંત્રી પત્ર લખે તો લેખે લાગે.”
રાવલે ડૉ. જોષી પર અંગત પ્રહાર કરતા કહ્યું કે, “તમે તો આયાતી સાંસદ છો. વડોદરાના રાજકારણની જૂથબંધીને કારણે તમે સાંસદ બન્યા છો.” તેમણે સાંસદની સરદાર પટેલ પ્રત્યેની નિષ્ઠા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “અમદાવાદમાં સરદાર પટેલ સાહેબના સ્મારકને તમે કેટલી વાર જોવા ગયા? તમારા માનીતા નેતા કેટલી વાર દર્શન અર્થે ગયા?”
કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે સાંસદને સલાહ આપતા કહ્યું કે જો તેમને ખરેખર સરદાર પટેલ સાહેબની સાચી સેવા કરવી હોય, તો આવા રાજકીય પત્રો લખવાનું બંધ કરીને જનતાના કામો પર ધ્યાન આપે.
સાંસદ જોષીને ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકોનું ભલું કરવા તેમજ અનેક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવ્યું:
*ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરાથી ચાલુ કરાવો.
*વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ બનાવો.
*વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ માટે દિલ્હીમાં બેઠેલા ‘શેષ નેતૃત્વ’ને પત્ર લખો.
રાવલે કટાક્ષ કર્યો કે, “કદાચ તમારું કોઈ સાંભળતું નહીં હોય, માટે હાઇકમાન્ડને ખુશ કરવા આવા ધતિંગ કરવાનું બંધ કરી, સરદાર પટેલ સાહેબની સાચી સેવા કરવા લોકો ને પડતી તકલીફ દૂર કરવાનું કામ કરો એ સાચી સેવા છે.”