પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર ઉકળતા બિંદુએ પહોંચી ગયો છે. ચાર દિવસીય ઇસ્તંબુલ શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાનના સંરક્ષણ...
વડી વાડી ફાયર બ્રિગેડ દ્વારા યુવકની કેનાલના પાણીમાં શોધખોળ, પોલીસે તપાસ કરતા મોપેડ ની ડીકીમાંથી મોબાઇલ મળ્યો, યુવકે મોબાઈલ ડિકીમાં મૂક્યો છે...
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુઝફ્ફરપુરથી પોતાનો પ્રચાર શરૂ કર્યો. એક સંયુક્ત રેલીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે સ્ટેજ...
કેનબેરામાં વરસાદે ક્રિકેટ ચાહકોને દુઃખી કરી દીધા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ રદ કરવામાં આવી છે. વરસાદને કારણે માત્ર...
કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટી20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મંગળવારે (29 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ...
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાની કારકિર્દીમાં પહેલી વાર વિશ્વનો નંબર-1 ODI બેટ્સમેન બન્યો છે. ICC એ બુધવારે નવીનતમ રેન્કિંગ જાહેર કરી....
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ કેનબેરા મેદાન પર રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ...
બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણયથી આસારામને મોટી...
બિહારમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. રેલીઓ અને જાહેર સભાઓ વચ્ચે જનતાને આકર્ષવા માટે વચનોનો દોર શરૂ થયો છે. મુઝફ્ફરપુરમાં મહાગઠબંધનની સંયુક્ત...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. દક્ષિણ કોરિયામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે અમેરિકા...
છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના લીધે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો...
વડોદરા: કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા દુકાને સામાન લેવા માટે ગઈ હતી અને સામાન લઈને પરત આવતી હતી...
દિવાળીના વેકેશનમાં શિરડી સાંઈબાબાના દર્શન કરી પરત ફરતા સુરતના યુવાનોની ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ૧૫૬૬૬ બાળ બાલિકાઓ એ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત લોકોનો મુખપાઠ કરી સર્જ્યો અનોખો ઇતિહાસ આજના આધુનિક યુગમાં વિજાણું...
ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ 1 નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. અકાલ...
લોકશાહીના પાયાને મજબૂત કરવા જિલ્લા ચૂંટણી તંત્રની કવાયત, દક્ષિણ પ્રાંત કચેરીમાં મેગા મંથન અધિકારીઓની બેઠકમાં હાઉસ-ટુ-હાઉસ ચકાસણીની રણનીતિ પર ભારવડોદરા : આગામી...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે હાથ ધરાયેલા ક્લાઉડ સીડિંગ પ્રયોગથી વરસાદ પડ્યો નહીં. IIT કાનપુરની ટીમે આ પ્રયોગ કર્યો હતો પરંતુ વાદળોમાં...
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સતીશ શાહના મૃત્યુનું સાચું કારણ હવે બહાર આવ્યું છે. આ અભિનેતાનું મૃત્યુ કિડની ફેલ્યોરથી થયું ન હતું. “સારાભાઈ વર્સિસ...
ચક્રવાત મોન્થાએ મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી. એક ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે જમીન પર ત્રાટક્યા બાદ તેણે દક્ષિણ ભારતના...
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજ રોજ તા.29 ઓક્ટોબરના રોજ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ખાસ વાત...
બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં પોલીસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે ભારે અથડામણ થઈ રહી છે. શહેર હાલ યુદ્ધ જેવી સ્થિતિમાં છે. પોલીસ...
ઉત્તર ભારતમાં છઠના તહેવાર દરમિયાન દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીની શાસક ભારતીય જનતા પાર્ટીએ...
અખબારી અહેવાલ પ્રમાણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 370 હોદ્દેદારો ટોચના હોદ્દેદારો પોતાના દેશની આગામી પંચવર્ષીય યોજના માટે રાજધાની બેઇજિંગમાં ઘરખર્ચ, વૃદ્ધ નાગરિકોની સંભાળ...
શિક્ષકો જ્યારે ભણાવે છે ત્યારે તેમનો કોર્ષ નકકી હોય છે અને તે સિલેબસ પ્રમાણે તેમણે વર્ષ દરમિયાન ભણાવવાનું હોય છે. એટલે કોઈ...
પહેલાનાં જમાનામાં ઘરમાં કોઈ ઉત્સવ હોય લગ્ન પ્રસંગ હોય ત્યારે વડીલો એક સાથે ખાટલામાં બેસી હુક્કા, ચલમ, બીડી, સોપારીનું સેવન કરતા. કોણ...
કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી આતંક ફેલાવ્યો છે. ગેંગે કેનેડાના જાણીતા ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી દીધી અને પછી પંજાબી ગાયક...
તાજેતરમાં પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ વાટલિયા પ્રજાપતિ સમાજ આયોજીત કાર્યક્રમમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધૂઓને ‘પુત્રવધૂ રત્ન...
આ દેશમાં ધાર્મિક પ્રસંગો, ટ્રેન પકડવા દોડાદોડી, સંતબાબાના દર્શન માટે પડાપડી, તહેવારોમાં મંદિરોમાં વધતી અતિ ભીડ કે રાજકીય રેલીઓમાં ધક્કામુકકી, પડી જવાથી...
ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ, ગુરુદક્ષિણા આપવાનો વખત આવ્યો. શિષ્ય ગુરુજીને કૈંક એકદમ કિંમતી આપવા માંગતો હતો પરંતુ ગુરુજીએ કહ્યું, ‘જે વસ્તુ...
પ્રકૃતિએ માનવને સ્વસ્થ રહેવા શરીરરૂપી સાધન સાથે પાંચ ઈન્દ્રિયની વ્યવસ્થા જોડી આપી છે. મનુષ્ય ધારે તો પ્રાણ (ઓકસીજન)ના અતિ સંચયથી મસ્તિષ્કમાં રહેલ...
વડોદરા તા.23
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના કોઈ અન્ય યુવક સાથે મારા સંબંધ હતા. દરમિયાન પત્નીએ પોતાનો પતિ અડખોલી રૂપ બનતો હોય તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયાન પત્નીએ રાત્રિના સમયે ઘેનની ગોળી આપ્યા બાદ મોદી રાત્રિના સમયે મુંબઈથી બે શખ્સોને બોલાવ્યા હતા. તેઓએ માહોલના પતિનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ પત્નીએ તેમના પતિનું મોત છાતીમાં દુખાવાના કારણે થયું હોવાની વાર્તા બનાવી હતી. જેથી પરિવારે મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી. પરંતુ મૃતકની પત્નીના મોઢા પર કોઈ શોક નહીં દેખાતા તથા અને કોઈ સાથે સતત ફોન પર વાતો કરતી હતી. જેથી મૃતકના ભાઈને શંકા ગઈ હતી, તેથી મૃતકના ભાઈએ તેણીને ચાલાકી પૂર્વક કહ્યું કે તારા સાથીદારો પકડાઈ ગયા છે તને પણ પોલીસે પકડી લેશે તેવું જણાવતા તેણી ગભરાઈ ગઈ હતી અને વટાણા વેરી નાંખ્યા હતા, જેથી તેણીએ ગભરાઈને કહ્યું કે મેં પહેલા ઘેનની ગોળી મારા પતિને આપી હતી ત્યારબાદ મુંબઈના બે શખ્સોએ તેમનું ગળું દબાવીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.



વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું કુટુંબ 18 નવેમ્બરના રોજ રાત્રિના સમયે મોત થતા સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 30 વર્ષીય યુવકના મોતના પગલે હસતા-રમતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોને શરૂઆતમાં ઈર્શાદ બનજારાનું મૃત્યુ ખરેખર કુદરતી મોત થયું હોવાનું લાગ્યું હતું. જેનો પતિ મોતને ભેટ્યો હોય તેની પત્ની ઘણી દુઃખમાં હોવી જોઈએ પરંતુ મૃતક ઈર્શાદ બનઝારાની પત્નીના ચહેરા પર કોઈ પ્રકારની દુઃખની લાગણી કે શોક જોવા ન મળતા
મૃતકના ભાઈ સહિતના પરિવારજનોના ભાઈ સાથે કોઈ અજુગતું થયું હોવા સાથે પત્ની દ્વારા જ કોઈ કાંડ કર્યો હોવાનું આશંકા ગઈ હતી. જેથી મૃતક યુવકના પરિવારના સભ્યોએ જેપી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને તેમના ભાઈ સાથે અણબનાવ બન્યો હોવાઈની શંકા વ્યક્ત કરી હતી તેમજ મૃતદેહ બહાર કાઢવાની મંજૂરી માગી હતી. જેથી પોલીસ અધિકારીએ તેમની માંગણીને ધ્યાનમાં લઈ મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ. એફએસએલ અને પરિવારના સભ્યોની હાજરીમાં મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. જેમાં એફએસએલની ટીમ દ્વારા કેટલા સેમ્પલ પણ ચકાસણી અર્થે કબ્જે કરાયા છે. જેપી રોડ પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
મૃતકના ઈર્શાદ બનજારાના ભાઈ ઈમ્તિયાઝ અબ્દુલ કરી બનજારાએ જણાવ્યું હતું કે, મૃતકની પત્નીના જણાવ્યા મુજબ 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેઓએ પાણી પીધું હતું અને ચક્કર આવતા તેઓ પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધા હતા. ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે તેની પત્નીએ તેના પતિ ઈર્શાદ નું મૃત્યુ થયું હોવાની જાણ કરી હતી. જેથી સગા સંબંધીઓને બોલાવિને કુદરતી મોત થયું હોવાની ગણી તેની દફનવિધિ કરી નાખી હતી.પરંતુ મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો દુઃખ કે શોકનો ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. ઉપરાંત સતત કોઈ યુવક સાથે ફોન પર વાત કર્યા કરતી હતી. જેથી અમને શંકા ગઈ હતી. જેથી અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં જ તેમની પૂછપરછ કરી હતી. જેમાં મૃતકની પત્નીએ તેના પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અમે તેના મોબાઇલ લઈને ડિટેલ પણ ચેક કરી હતી. ત્યારે તેણે મુંબઈના યુવક સાથે સતત વાત કરતી હતી અને તેને જ મુંબઈથી બે લોકોને બોલાવ્યા હતા. એ લોકો આવે તે પહેલા મેં મારા પતિને ઊંઘની ગોળી આપી દીધી હતી. ત્યારબાદ બંને જણાએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
મૃતક યુવક ના ભાઈ સહિતના તેમના પરિવારજનો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા ભાઈની પત્ની અને બે લોકોએ મળીને મારા ભાઈની હત્યા કરી છે. અમને ન્યાય મળવો જોઈએ ,અને વિરોધી પત્ની સહિતના આરોપીઓને સજા એ મોત થવી જોઈએ તેવી માંગણી કરાઇ છે.