કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
સુરત: માં આદ્ય શક્તિની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહ્યો છે, ત્યારે આદ્યના જુદા જુદા સ્વરૂપની આરધના માટે સુરતમાં જુદા જુદા સ્થળે મંદિરો બન્યા છે. તે પૈકી ઘણા મંદિરો એવા છે જેનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે.
ભકતોમાં આસ્થાનુ કેન્દ્ર એવા જુના અંબાજી રોડ પરના જુના અંબાજી માતા મંદિરના દર્શન કરવા શિવાજી મહારાજ આવતા હતા, તેમજ અહી લાકડાની મોગરીથી શ્રીફળ વધેરવાથી મનોકામના પુરી થાય છે, જેના કારણે અહી ભકતોની ભીડ જામે છે. આ મંદિરોમાં નવરાત્રિના દિવસોમાં ભક્તોનો ભારે ઘસારો થતો જોવા મળે છે.
હાલ ચાલી રહેલી નવરાત્રિમાં સુરતના અંબાજી રોડ પરના 400 વર્ષ કરતાં વધુ પૌરાણિક મોટા અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર આવી રહ્યું છે. મંદિરે માતાજીના દર્શન સાથે સાથે શ્રીફળ વધેરવાનો મહિમા પણ નવરાત્રિમાં વધી રહ્યો છે. સુરતનુ અંબાજી મંદિર ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં છોડાવાળા શ્રીફળ વધેરવા માટે લાકડાની મોગરીનો ઉપયોગ થાય છે. ખાસ ટ્રેઈન કરેલા લોકો લાકડોની મોગરીના એક ફટકાથી શ્રીફળના બે કટકા કરી દે છે તેનું મહત્વ પણ નવરાત્રિમાં ઘણું જોવા મળી રહ્યુ છે.
સુરત સહિત દેશના મોટા ભાગના મંદિરોમાં છોળા વિનાના છોલેલા શ્રીફળ ચઢાવવામાં કે વધેરવામાં આવે છે. દેશ ભરના મંદિરોમાં શ્રીફળ વધેરવા માટે મશીન કે લોખંડની વસ્તુનો ઉપયોગ થાય છે પરંતુ સુરતના જુના અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડાંમાંથી બનાવેલી મોગરી (ગદા જેવું સાધન)નો ઉપયોગ થાય છે. વર્ષો પહેલા લોકો પોતાની માનતા પુરી થાય તો મરઘા કે અન્ય પશુના બલીની બાધા લેતા અને અને તેનો બલી ચઢાવતાં હતા.
જોકે, આ મંદિરમાં જીવદયાના કારણે પશુના બલીના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ થઇ હતી. સુરત પર અનેક વખત ચઢાઈ કરનારા છત્રપતિ શિવાજી મહારાજે સુરતના અનેક મંદિરમાં જઈ દર્શન કર્યા હતા. તેમાંથી એક મંદિર સુરતના અંબાજી રોડનું અંબાજી મંદિર છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજીએ દર્શન કરીને માતાજીના ચરણોમાં એક હાર પણ ચઢાવ્યો હતો.
આ વખતે ચાંદીના રથમાં સવાર થઇ માતાજી કોટ વિસ્તામાં ફરશે
મોટા અંબાજી મંદિરના મહંત કિરણભાઈએ જણાંવ્યુ હતુ કે, નવરાત્રિના નવ દિવસોમાં ખંડ ખવળાવાની પ્રથા પણ વર્ષોથી પ્રચલીત પામી છે. આ ખંડ ખાસ જે મહિલાઓની કુખે બાળક ન થતુ હોય તેવી નવ મહિલાઓને ખવડાવવામાં આવે છે. વધુમાં દર વર્ષે નવરાત્રિના અંતિમ દિવસે માતાજી ચાંદીના ભવ્ય રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નિકળે છે. રથ શહેરના કોટ વિસ્તારોમાં ફરીને મંદિરે પરત ફરે છે, માતાજીની રથયાત્રાનો લહાવો લેવા માટે ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે.
દક્ષિણના શ્રીફળના વેપારીઓ ખાસ મોગરી જોવા મોટા અંબાજી આવ્યા હતા
ભારતના એક માત્ર અંબાજી મંદિરમાં છોળાવાળા આખા શ્રીફળ વધેરવા માટે લાકડાંની ગદા જેવું સાધન જેને મોગરી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ થતો હોવાની વાત દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ સુધી પહોંચી હતી. સુરતમાં શ્રીફળ સપ્લાય કરતાં દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ અંબાજી મંદિર આવીને માતાજીના દર્શન કરીને મોગરીથી એક ઘાએ શ્રીફળના બે કટકા થતાં જોઈને આશ્ચર્ય પામી ગયાં હતા.