Editorial

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સામે પડેલા કેશવ પ્રસાદ મૌર્ય પણ ભારે દબદબો ધરાવે છે

5 જૂન 1972ના રોજ જન્મેલા યોગી આદિત્યનાથનું સાંસારિક નામ અજય મોહન બિષ્ટ હતું. ભારતીય સંસદના ‘રાજમાર્ગ’ની ઉપમા ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વર્ષો પછી એક પછી એક બે ટર્મ સરકાર બનાવવાનો કીર્તિમાન રચનાર યોગી આદિત્યનાથને જાણકારો ‘ઘડાયેલ રાજકારણી’ ગણાવે છે. યોગી આદિત્યનાથના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આદિત્યનાથ ‘મુખ્ય મંત્રીશ્રી યોગી આદિત્યનાથજી મહારાજ’ તરીકેની ઓળખ પસંદ કરે છે.

ટ્વિટરના એમના સત્તાવાર એકાઉન્ટમાં કરાયેલ દરેક ટ્વીટમાં એમનું નામ આવી જ રીતે લખાય છે. ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હશે કે જ્યારે એક જનપ્રતિનિધિ બંધારણીય પદ પર હોવા છતાં માત્ર પોતાની ધાર્મિક ગાદી પર જ બિરાજમાન ન હોય, બલકે, રાજકાજમાં પણ એમની અમીટ છાપ દેખાતી હોય. મહંત આદિત્યનાથ યોગી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા ત્યારે ધાર્મિકની સાથોસાથ રાજકીય સત્તા પણ એમના હાથમાં આવી. આ વાતને હંમેશાં જાહેર કરવા માટે ‘મુખ્ય મંત્રીશ્રી યોગી આદિત્યનાથજી મહારાજ’નું સંબોધન પસંદ કરાયું.

જો કે, મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ઉત્તર પ્રદેશના માફિયાઓને ગોરખધંધા છોડી દો અથવા ઉત્તર પ્રદેશ છોડી તે વાત લોકોના દિલમાં વસી ગઇ. તેમણે માફિયાઓના મકાનો ઉપર જે રીતે બુલડોઝર ચલાવ્યું તેનાથી માત્ર ઉત્તર પ્રદેશ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેઓ હિન્દુ હ્રદયસમ્રાટ બની ગયા. ‘અભી તો ચાય વાલા આયા હૈ તો યે હાલ હૈ જબ ગાય વાલા આયેગા તો ક્યા હાલ હોગા’ આ સ્લોગન જ દર્શાવે છે કે, મોદી પછી દેશના વડા પ્રધાન તરીકે હિન્દુ દેશવાસીઓ યોગીને વડા પ્રધાન તરીકે જોઇ રહ્યાં છે.

ઉત્તરપ્રદેશના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે ચર્ચા હતી કે ભાજપ હાઈકમાન્ડ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવા માંગે છે. આ વખતે 2022ની વિધાનસભા ચૂંટણીના લગભગ 9 મહિના પહેલાનો સમય હતો. જો કે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા. હવે ફરીથી એવા અહેવાલો આવી રહ્યા છે કે યુપી ભાજપમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. કાર્યસમિતિની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી આ તમામ અટકળોને વધુ હવા મળી હતી.

મૌર્યએ કહ્યું કે આ સંગઠન સરકાર કરતા મોટું છે. સંગઠનથી મોટું કોઈ નથી. આ સંગઠન સરકાર કરતા મોટું હતું, છે અને હંમેશાં મોટું રહેશે. ચાલો હવે જાણીએ કે કેશવ પ્રસાદ મૌર્ય કેટલા શક્તિશાળી છે, જેમને ચૂંટણી હાર્યા પછી પણ રાજ્યમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેશવ મૌર્યના કદનો બીજો કોઈ ઓબીસી નેતા નથી. તેઓ પછાતોના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. એટલા માટે પાર્ટીને તેમના પર ભરોસો છે. કેશવ પ્રસાદ મૌર્યને રાજ્યના મૌર્ય અને કુશવાહા મતદારોને આકર્ષવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. બિન-યાદવ મતદારોને એક કરવામાં કેશવ મૌર્યનું યોગદાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના કુલ મતદારોમાં ઓબીસી મતદારોની હિસ્સેદારી લગભગ ૪૫ ટકા છે. કહેવાય છે કે યાદવ મતદારોનો મોટો વર્ગ સમાજવાદી પાર્ટીનો સમર્થક છે. તેને ઉત્તર પ્રદેશની સૌથી પ્રભાવશાળી જાતિ પણ માનવામાં આવે છે. બિનમતદારોને એક કરવાના કારણે પણ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ તેમની અવગણના કરતું નથી. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અલ્હાબાદની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી. તેણે 2022માં ગેંગસ્ટર અતીક અહેમદ સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

તેઓ માત્ર 7000 મત સાથે ચોથા સ્થાને રહ્યા હતા. 2007માં તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી અલ્હાબાદ પશ્ચિમ મતવિસ્તારમાંથી લડી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો પણ કરવો પડ્યો હતો.કેશવ પ્રસાદ મૌર્યએ 2012માં વિધાનસભા સીટ બદલી હતી અને કૌશાંબીના સિરાથુથી ચૂંટણી લડી હતી. તેઓ આ બેઠક પરથી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014ની લોકસભા ચૂંટણી તેઓ ફુલપુરથી લડ્યા હતા અને ત્રણ લાખથી વધુ મતોથી જીત્યા હતા. આ બેઠક એક સમયે કોંગ્રેસ પાર્ટીનો ગઢ માનવામાં આવતી હતી. અહીં પહેલી વાર ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો હતો. ત્યાર બાદ ધીમે ધીમે તેનું કદ વધતું ગયું. કેશવ પ્રસાદ મૌર્યને વર્ષ 2016માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

14 વર્ષથી સત્તાથી બહાર રહેલી ભારતીય જનતા પાર્ટીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. ભાજપ ને લગભગ 325 સીટો મળી હતી. આ પછી તેમને મુખ્યમંત્રી પદના મોટા દાવેદાર માનવામાં આવતા હતા. જો કે તેમને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો અને યોગી આદિત્યનાથને સીએમ પદની ખુરશી મળી. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ વર્ષ 2022 માં સિરાથુથી ફરીથી ચૂંટણી લડી હતી અને આ વખતે તેઓ સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલ સામે હારી ગયા હતા. મૌર્યને કુલ 98941 મત મળ્યા હતા, જ્યારે પટેલને 106278 મત મળ્યા હતા. ચૂંટણીમાં હાર બાદ પણ પાર્ટીએ તેમને ફરી ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા.

Most Popular

To Top